Delhi

સીમા હૈદરના કેસમાં ભારતની નાગરિકતા વિષે શું કહે છે કાયદો?…

નવીદિલ્હી
પાકિસ્તાનની મહિલા સીમા હૈદર સચિન મીનાના પ્રેમમાં હોવાની સાથે સાથે ભારતના પ્રેમમાં પણ પડી ગઈ છે. સીમા તેના પ્રેમ સચિન માટે હિન્દુ બની ગઈ છે અને શાકાહારી પણ બની ગઈ છે. સીમા પાકિસ્તાન જવા માંગતી નથી. તેણી કહે છે કે તેને ત્યાં મારી નાખવામાં આવશે. સીમા ભારતીય નાગરિકતા મેળવવા ઈચ્છે છે અને તેની ઈચ્છા રાષ્ટ્રપતિ સુધી પણ પહોંચી છે. સુપ્રીમ કોર્ટના વકીલ એપી સિંહ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીમાં કહેવામાં આવ્યું છે કે સીમાને ભારતીય નાગરિકતા આપવામાં આવે, કારણ કે તે માત્ર પ્રેમ ખાતર ભારત આવી છે. એપી સિંહનું કહેવું છે કે તેણે ચાર બાળકો સાથે હિંદુ ધર્મ અપનાવ્યો છે. સચિન સાથે નેપાળમાં હિંદુ રીતિ-રિવાજથી લગ્ન કર્યા. તેને માનવતાના દૃષ્ટિકોણથી જાેવું જાેઈએ. હવે જ્યારે સીમાની ભલામણ રાષ્ટ્રપતિ સુધી પહોંચી છે ત્યારે સવાલ એ ઊભો થાય છે કે શું તે ભારતીય નાગરિકતા મેળવી શકશે અને મેળવી શકશે તો કેવી રીતે?
કેવી રીતે મળે છે ભારતની નાગરિકતા?.. ભારતની નાગરિકતા એટલી સરળતાથી ઉપલબ્ધ નથી અને ન તો તે બેવડી નાગરિકતા આપે છે. એટલે કે ભારતની સાથે અન્ય કોઈ દેશની નાગરિકતા લઈ શકાય નહીં. નિષ્ણાતો કહે છે કે ભારતના બંધારણ મુજબ જાે કોઈ વ્યક્તિ આપણા દેશમાં આવીને રહેવા માંગતી હોય તો તે વ્યક્તિની સુરક્ષા કરવી તે દેશની ફરજ અને જવાબદારી છે. આપણો દેશ એક પ્રજાસત્તાક છે, જે અંતર્ગત સરકાર બંધારણનું પાલન કરનારા લોકોને ભારતની નાગરિકતા આપી શકે છે. સરહદ જેવી બાબતોમાં આંતરરાષ્ટ્રીય જાસૂસીનું તત્વ પણ હોઈ શકે છે. જાે કોઈ ખોટા ઈરાદા સાથે ભારતમાં પ્રવેશે છે તો તેના પર દેશદ્રોહનો કેસ ચાલી શકે છે. આ સાથે સજાની પણ જાેગવાઈ છે. નાગરિકતા અધિનિયમ, ૧૯૫૫ મુજબ, ભારતની નાગરિકતા ચાર રીતે મેળવી શકાય છે. આ જાેગવાઈઓ કલમ ૩, ૪, ૫(૧) અને ૫(૪) માં આપવામાં આવી છે. આ ચાર પદ્ધતિઓ જન્મ, નોંધણી, વંશ અને નેચરલાઈઝેશન છે. તેથી સીમાના કેસમાં, કાયદો કહે છે કે જાે કોઈ ગેરકાયદેસર સ્થળાંતર-વિદેશી સ્ત્રી અથવા પુરુષ ભારતીય સ્ત્રી અથવા પુરુષ સાથે લગ્ન કરે છે, તો તે નોંધણી દ્વારા નાગરિકતા માટે અરજી કરી શકે છે. પરંતુ સીમાએ ભારતમાં ઘુસીને બંધારણીય જાેગવાઈઓનું ઉલ્લંઘન કર્યું છે. સીમાની કહાની સિટીઝનશિપ એમેન્ડમેન્ટ એક્ટ અને ઈન્ડિયન પાસપોર્ટ એમેન્ડમેન્ટ એક્ટને પણ પડકારે છે. નાગરિકતા કાયદા અનુસાર, કોઈપણ પાકિસ્તાની અથવા વિદેશી નાગરિક જે માન્ય વિઝા અને મુસાફરી દસ્તાવેજાે વિના ભારતમાં ઘૂસણખોરી કરે છે તેને ૨ વર્ષથી ૮ વર્ષ સુધીની જેલ અને ૧૦,૦૦૦ રૂપિયાનો દંડ થઈ શકે છે. ભારતીય પાસપોર્ટ અધિનિયમના નિયમ ૪ (પેટા નિયમ ૧) ની કલમ ‘ૐ’ જણાવે છે કે પાકિસ્તાન અને બાંગ્લાદેશના લઘુમતીઓ, જેમાં હિન્દુ, શીખ, જૈન-બૌદ્ધ, ખ્રિસ્તી અને પારસીઓ સામેલ છે, જાે તેઓ ભારતમાં આવ્યા છે અને અહીંની નાગરિકતા માંગે છે, તો તેમને ભારતીય નાગરિકતા આપવામાં આવશે. અહીં નોંધનીય બાબત એ છે કે બાંગ્લાદેશ અને પાકિસ્તાનના મુસ્લિમોને નાગરિકતા આપવાની કોઈ જાેગવાઈ નથી.
સીમાનો કેસ શું કહે છે ?
સીમા-સચિન કેસમાં ફરી દલીલ કરી શકાય છે કે સીમાએ કાઠમંડુના પશુપતિનાથ મંદિરમાં હિંદુ વિધિ પ્રમાણે સચિન સાથે લગ્ન કરીને હિંદુ ધર્મ અપનાવ્યો હતો. એટલે ભારતમાં ઘૂસણખોરી વખતે તે પાકિસ્તાની મુસ્લિમ નહીં પણ હિંદુ હતી. તેથી તેને ભારતીય નાગરિકતા આપવી જાેઈએ. બીજી બાજુ, શરિયા કાયદો જણાવે છે કે મુસ્લિમ મહિલા ઇસ્લામમાં માનતા ન હોય તેવા પુરુષ સાથે લગ્ન કર્યા પછી ઇસ્લામમાંથી બહાર નીકળી જાય છે. આ નાજુક સંજાેગોમાં, જાે સીમાને પાકિસ્તાન મોકલવામાં આવે છે, તો તેણીને ધર્માંતરિત હિન્દુ હોવાના કારણે વધુ હેરાનગતિનો સામનો કરવો પડશે. સીમા હૈદર જન્મજાત પાકિસ્તાની મુસ્લિમ છે અને તેણે ભારત-નેપાળ શાંતિ અને મિત્રતા સંધિ ૧૯૫૧ની કલમ ૭નું પણ ઉલ્લંઘન કર્યું છે. સીમા હૈદર એ પહેલું ઉદાહરણ નથી. અગાઉ ૨૩ જાન્યુઆરી, ૨૦૨૩ ના રોજ, પાકિસ્તાની હૈદરાબાદની રહેવાસી ઇકરાને સુરક્ષા એજન્સીઓએ બેંગલુરુથી ધરપકડ કરી હતી. ઇકરા પણ નેપાળ સરહદ પાર કરીને બેંગલુરુ પહોંચી હતી. તે ઓનલાઈન ગેમ દ્વારા યુપીના રહેવાસી મુલાયમ સિંહના પ્રેમમાં પણ પડી ગઈ હતી. ઇકરાને ૧૯ ફેબ્રુઆરી ૨૦૨૩ના રોજ જ પાકિસ્તાન મોકલવામાં આવી હતી.

File-01-Page-08.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *