નવીદિલ્હી
પશ્ચિમી વિક્ષોભ એક્ટિવ થતાં હવામાનમાં બદલાવ આવવાની સંભાવના વધી ગઈ છે. ૧૯થી ૨૧ ફેબ્રુઆરી સુધી મધ્ય અને ઉચ્ચ પર્વતીય આઠ જિલ્લામાં વરસાદ અને બરફવર્ષાનું પૂર્વાનુમાન છે. હવામાન વિભાગના આંકડા અનુસાર, દિલ્હી-એનસીઆરના તાપમાનમાં વધારો નોંધાઈ શકે છે. ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ અને બિહારમાં ત઼ડકો નીકળશે. જેના કારણે આવનારા દિવસોમાં તાપમાન વધશે. તો વળી અમુક પહાડી રાજ્યોમાં આગામી ત્રણ દિવસ સુધી વરસાદ રહેવાની આશા છે. પશ્ચિમી વિક્ષોભ એક્ટિવ થતાં હવામાનમાં બદલાવ આવવાની સંભાવના વધી ગઈ છે. ૧૯થી ૨૧ ફેબ્રુઆરી સુધી મધ્ય અને ઉચ્ચ પર્વતીય આઠ જિલ્લામાં વરસાદ અને બરફવર્ષાનું પૂર્વાનુમાન છે. હવામાન વિભાગના આંકડા અનુસાર, દિલ્હી-એનસીઆરના તાપમાનમાં વધારો નોંધાઈ શકે છે. ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ અને બિહારમાં ત઼ડકો નીકળશે. જેના કારણે આવનારા દિવસોમાં તાપમાન વધશે. તો વળી અમુક પહાડી રાજ્યોમાં આગામી ત્રણ દિવસ સુધી વરસાદ રહેવાની આશા છે.તો વળી પૂર્વોત્તર રાજ્ય અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય અને નાગાલેન્ડમાં ૧૬થી ૨૦ ફેબ્રુઆરીની વચ્ચે પાંચ દિવસ સુધી હળવો વરસાદ થઈ શકે છે. આવનારા દિવસોમાં દિલ્હીમાં ન્યૂનતમ તાપમાન ૩૦થી ૩૧ ડિગ્રી રહી શકે છે. તો વળી ૧૯-૨૦ ફેબ્રુઆરીએ રાજધાની દિલ્હીમાં હળવા વાદળો છવાઈ શકે છે. સ્કાઈમેટ વેદરના રિપોર્ટ અનુસાર ઉત્તર પશ્ચિમ, મધ્ય અને પૂર્વી ભારતના મોટા ભાગના ભાગોમાં દિવસ અને રાતનું તાપમાન સામાન્યથી ઉપર રહી શકે છે. ગિલગિટ બાલ્ટિસ્તાન, મુઝફ્ફરાબાદમાં હળવો વરસાદ અને બરફવર્ષાની સંભાવના છે. તો વળી ઉત્તર-પશ્ચિમી મેદાની વિસ્તારમાં ૨૦થી ૩૦ કિમી પ્રતિ કલાકથી ૪૦ કિમી પ્રતિ કલાકની સ્પિડથી હવાઓ ચાલી શકે છે.જેનાથી રાજધાની દિલ્હીની વાયુ ગુણવત્તામાં સુધાર થઈ શકે છે. તો વળી દેશના બાકીના ભાગમાં આગામી ૫ દિવસ સુધી હવામાનમાં કોઈ મોટો ફેરફાર થશે નહીં.


