Delhi

કેન્દ્ર સરકાર સમલૈંગિકોને માન્યતા આપવાનો વિરોધ કેમ કરી રહી છે? તેનું કારણ કાયદા મંત્રીએ જણાવ્યું

નવીદિલ્હી
સમલૈંગિક લગ્નને સુપ્રીમ કોર્ટમાં કાયદેસર માન્યતા આપવાનો કેન્દ્રએ વિરોધ કર્યાના એક દિવસ પછી, કાયદા અને ન્યાય પ્રધાન કિરેન રિજિજુએ સોમવારે કહ્યું હતું કે, સરકાર લોકોની વ્યક્તિગત સ્વતંત્રતા અને પ્રવૃત્તિઓમાં “દખલ” કરતી નથી પરંતુ તે સંબંધિત મામલો એ સંસ્થાની નીતિની બાબત છે. સુપ્રીમ કોર્ટમાં કેન્દ્રના વલણને લગતા એક પ્રશ્નના જવાબમાં રિજિજુએ કહ્યું, “સરકાર કોઈ વ્યક્તિના અંગત જીવન અને પ્રવૃત્તિઓમાં દખલ નથી કરી રહી. તેથી જ કોઈ મૂંઝવણ ન હોવી જાેઈએ. જ્યારે લગ્નની સંસ્થાને લગતા મુદ્દાની વાત આવે છે, ત્યારે તે નીતિનો વિષય છે. સરકાર ક્યારેય નાગરિકોની વ્યક્તિગત સ્વતંત્રતા અને વ્યક્તિગત પ્રવૃત્તિઓમાં અવરોધ કે નિયમન કરતી નથી, એમ તેમણે સંસદ ભવન સંકુલમાં પત્રકારોને જણાવ્યું હતું. તમારે આ વિશે સ્પષ્ટ હોવું જાેઈએ…એક સ્પષ્ટતામાં તફાવત છે. સુપ્રીમ કોર્ટમાં કેન્દ્ર સરકારે સમલૈંગિક લગ્નને કાયદાકીય માન્યતા આપવાની વિનંતી સાથે સંબંધિત અરજીઓનો વિરોધ કરતા કહ્યું કે, આનાથી અંગત કાયદા અને સ્વીકાર્ય સામાજિક મૂલ્યોના સંતુલન પર અસર પડશે. ભારતીય દંડ સંહિતાની કલમ ૩૭૭ દ્વારા કાયદેસર હોવા છતાં, અરજદારો દેશના કાયદા હેઠળ સમલૈંગિક લગ્નના મૂળભૂત અધિકારનો દાવો કરી શકતા નથી.

Page-08.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *