નવીદિલ્હી
ભારતીય જનતા પાર્ટીના નેતા રવિશંકર પ્રસાદે મંગળવારે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પર આકરા પ્રહારો કરતાં કહ્યું કે, તેમણે સંસદમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર પાયાવિહોણા, શરમજનક અને બેદરકારીભર્યા આક્ષેપો કર્યા છે. પ્રસાદે કહ્યું કે, કોંગ્રેસ પોતે ‘મોટા કૌભાંડો’માં સામેલ છે, જેના કારણે દેશની છબી ‘ખરાબ’ થઈ છે. લોકસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવ પરની ચર્ચામાં ભાગ લેતા, ગાંધીએ ૨૦૧૪માં સત્તામાં આવનારી મોદી સરકાર સાથે બિઝનેસમેન ગૌતમ અદાણીની વ્યાપારી સંપત્તિ અને અંગત સંપત્તિમાં જંગી વૃદ્ધિને જાેડ્યો હતો. તેમણે અદાણી જૂથ સાથે જાેડાયેલા મામલાને લઈને પણ ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. પ્રસાદે સંસદની બહાર પત્રકારોને કહ્યું કે, “રાહુલ ગાંધીએ વડાપ્રધાન મોદી પર પાયાવિહોણા, શરમજનક અને અવિચારી આક્ષેપો કર્યા છે.” ભારતની છબીને કલંકિત કરનારા તમામ મોટા કૌભાંડોમાં કોંગ્રેસ અને તેના નેતાઓ સામેલ હતા.” પ્રસાદે નેશનલ હેરાલ્ડ કેસનો પણ ઉલ્લેખ કર્યો હતો અને ગાંધી પરિવાર પર હુમલો કરવા માટે ઓગસ્ટા વેસ્ટલેન્ડ કૌભાંડનું પણ નામ ઉચ્ચાર્યું હતું. તેમણે કહ્યું કે, “ભ્રષ્ટાચારને લઈને રાહુલ ગાંધીની યાદ તાજી કરવાનો આ સમય છે.” તેમણે આરોપ લગાવ્યો કે, રાહુલ ગાંધી, તેમની માતા સોનિયા ગાંધી અને તેમના જમાઈ રોબર્ટ વાડ્રા જામીન પર બહાર છે. તેમણે કહ્યું કે, કોંગ્રેસ પાર્ટી ભ્રષ્ટાચાર અને ભ્રષ્ટાચારીઓને બચાવવાના બે સ્તંભો પર આધારિત છે. પ્રસાદે કહ્યું કે, “ભ્રષ્ટાચાર અને ભ્રષ્ટાચારીઓને સમર્થન આપવું એ રાહુલ ગાંધી અને તેમના પરિવારનો ઇતિહાસ રહ્યો છે.” રાહુલ ગાંધીએ સંસદમાં મોદી સરકાર પર અનેક આરોપો લગાવ્યા હતા, જેમાં મુખ્યત્વે અદાણીને લઈને મોદી સરકારને ઘેરીને આક્ષેપો પણ કર્યા હતા. ૨૦૨૪ની લોકસભાની ચૂંટણીના એક વર્ષ પહેલા, અદાણી જૂથ પર હિંડનબર્ગનો અહેવાલ કોંગ્રેસ માટે વરદાન રૂપે આવ્યો છે, જે મોદી સરકાર વિરુદ્ધ નિવેદન શોધી રહી છે. બુધવારે સંસદમાં રાહુલ ગાંધીના આરોપો મુખ્યત્વે ૨૦૧૪માં નરેન્દ્ર મોદી વડા પ્રધાન બન્યા ત્યારથી અદાણીની સંપત્તિમાં કેવી રીતે વધારો થયો તે રહ્યા હતા. આ દરમિયાન, તેમણે ગુજરાત સાથેના તેમના જૂના સંબંધનો પણ ઉલ્લેખ કર્યો, જેના પર ભાજપે વાંધો ઉઠાવ્યો હતો. જેમ ૨ય્ અને કોલગેટ જેવા કથિત કૌભાંડોને લઈને ભાજપે ૨૦૧૪ પહેલા સંસદમાં ેંઁછ સરકારને ઘેરી હતી, તેવી જ રીતે કોંગ્રેસ હવે અદાણી કેસની સંયુક્ત સંસદીય સમિતિ (ઝ્રઁઝ્ર) દ્વારા તપાસની માંગ કરી રહી છે. ભાજપ આની સામે દલીલ કરી રહ્યું છે કે, એલઆઈસી અને એસબીઆઈ જેવી સરકારી સંસ્થાઓ અદાણી જૂથમાં ૧% કરતા ઓછું એક્સપોઝર ધરાવે છે અને આ બાબત કોઈપણ રીતે સરકાર અથવા જાહેર ક્ષેત્ર સાથે સંબંધિત નથી.


