Delhi

કોરોના સંક્રમિતોની સંખ્યા વધીને ૧૬,૩૫૪ થઈ, નવા ૨૯૯૪ કેસ નોંધાયા, એક્ટિવ કેસ ૧૬૦૦૦ને પાર

નવીદિલ્હી
ભારતમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના નવા ૨,૯૯૪ કેસ નોંધાયા છે. આ સાથે, કોરોના સંક્રમિતોની સંખ્યા વધીને ૧૬,૩૫૪ થઈ ગઈ છે. કોરોનાના સતત વધી રહેલા કેસોને લઈને સરકાર પણ એલર્ટ મોડ પર છે. સરકાર દ્વારા ૧૦ અને ૧૧ એપ્રિલે દેશભરની સરકારી હોસ્પિટલો અને ખાનગી હોસ્પિટલોમાં મોકડ્રીલ કરવામાં આવશે. જાેકે, રાહતની વાત એ છે કે નવા કેસોની સરખામણીમાં રિકવરી રેટ ઘણો સારો છે. હાલમાં દેશમાં કોરોનાના સક્રિય કેસ ૦.૦૪% છે, જ્યારે રિકવરી રેટ ૯૮.૭૭% છે. આંકડા અનુસાર, છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાથી ૧,૮૪૦ લોકો સાજા થયા છે. આ સાથે સાજા થનારા લોકોની સંખ્યા વધીને ૪,૪૧,૭૧,૫૫૧ થઈ ગઈ છે. ચેપના દૈનિક કેસોની વાત કરીએ તો, આ સંખ્યા ૨.૦૯% છે અને સાપ્તાહિક દર ૨.૦૩% છે. કોરોના માટે અત્યાર સુધીમાં કુલ ૯૨.૧૬ કરોડ ટેસ્ટ કરવામાં આવ્યા છે. તે જ સમયે, છેલ્લા ૨૪ કલાકમાં ૧,૪૩,૩૬૪ ટેસ્ટ કરવામાં આવ્યા છે. તમને જણાવી દઈએ કે દેશની રાજધાની દિલ્હીમાં પણ કોરોના ઝડપથી વધી રહ્યો છે. દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રી સૌરભ ભારદ્વાજે પણ આ અંગે બેઠક યોજી છે અને મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પ્રેસ કોન્ફરન્સ કરીને સ્થિતિ અંગે ચર્ચા કરી છે. કોન્ફરન્સ દરમિયાન સીએમ કેજરીવાલે કોરોનાને લઈને દિલ્હીની તૈયારીઓનો ઉલ્લેખ કર્યો અને કહ્યું કે દિલ્હી સરકાર કોરોનાની સ્થિતિનો સામનો કરવા માટે તૈયાર છે. દિલ્હીની સરકારી લેબમાં ચાર હજાર ટેસ્ટ કરવાની ક્ષમતા છે અને કોવિડ-૧૯ સામે લડવા માટે ૭,૯૮૬ બેડ તૈયાર છે. કેન્દ્ર સરકાર પણ કોરોનાને લઈને કડક બની છે. કેન્દ્ર સરકારની સૂચના પર ૧૦ થી ૧૧ એપ્રિલના રોજ દેશની તમામ સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં મોકડ્રીલ કરવામાં આવશે. જેમાં હોસ્પિટલોના સ્ટોક, દવાઓ, ઓક્સિજન, ઈમરજન્સીના સંજાેગોમાં તૈયારીઓની સમીક્ષા કરવામાં આવશે. શનિવારે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય અને ભારતીય તબીબી સંશોધન પરિષદ (ૈંઝ્રસ્ઇ)દ્વારા જારી કરાયેલ સંયુક્ત સલાહકારમાં કહેવામાં આવ્યું છે કે છેલ્લા કેટલાક અઠવાડિયામાં કેટલાક રાજ્યોમાં કોરોનાના પરીક્ષણમાં ઘટાડો થયો છે. આને ધ્યાનમાં રાખીને, કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય અને ૈંઝ્રસ્ઇએ પણ તમામ રાજ્યોને કોરોના પરીક્ષણને પ્રોત્સાહન આપવા અને લક્ષણો વિશે માહિતી આપવા માટે કહ્યું છે.

Page-01.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *