નવીદિલ્હી
ભારતીય ક્રિકેટ ટીમનો અનુભવી ઓપનર શિખર ધવન ટીમ ઇન્ડિયામાં વાપસીને લઈને આત્મવિશ્વાસ ધરાવે છે. લેફ્ટ હેન્ડ બેટ્સમેન શિખર ધવન છેલ્લા કેટલાક સમયથી ટીમ ઈન્ડિયાની બહાર ચાલી રહ્યો છે. તેના સ્થાને યુવા ઓપનર શુભમન ગિલને વન-ડેમાં તક મળી રહી છે. ગિલે હાલમાં જ ત્રણેય ફોર્મેટમાં શાનદાર રમત બતાવી છે. ધવનની વાત કરીએ તો તે લગભગ ૨ વર્ષથી એક જ ફોર્મેટમાં રમી રહ્યો હતો. ધવન આ સમયે ગીલના જાેરદાર વખાણ કરતો જાેવા મળ્યો છે. તેણે કહ્યું કે જાદુ ગમે ત્યારે થઈ શકે છે તેથી તેને પુનરાગમનની આશા છોડી નથી. એક ન્યૂઝ ચેનલને આપેલા ઈન્ટરવ્યુમાં શિખર ધવને ખુલીને વાત કરી હતી. ૩૭ વર્ષીય ધવન ૈંઁન્ની ૧૬મી સિઝનમાં પંજાબ કિંગ્સની કેપ્ટનશીપ કરવા જઈ રહ્યો છે. તે ટીમ ઈન્ડિયા તરફથી છેલ્લી વખત ગયા વર્ષે ડિસેમ્બરમાં બાંગ્લાદેશ સામે રમ્યો હતો. દિલ્હી માટે ઘરેલુ ક્રિકેટ રમનાર શિખર ધવન ૈંઁન્ની ૧૬મી સિઝનમાં પંજાબ કિંગ્સની કેપ્ટનશીપ કરવા જઈ રહ્યો છે. ધવનનું માનવું છે કે તે હજુ પણ તેની કારકિર્દીની ટોચ પર છે. શિખર ધવનના મતે, ‘કરિયરના આ તબક્કે કોઈપણ ટીમનું નેતૃત્વ કરવું એ મોટી વાત છે. હું છેલ્લા કેટલાક સમયથી ટીમ ઈન્ડિયાની બહાર છું. દરેક ખેલાડીની કારકિર્દીમાં આવો સમય આવે છે. છેલ્લા એક-બે વર્ષથી હું એક જ ફોર્મેટ રમી રહ્યો છું. ત્યારે શુભમન ગિલ બે ફોર્મેટમાં રમી રહ્યો હતો. તે આ સમયે ખૂબ જ સારું કરી રહ્યો છે. હું તેના માટે ખૂબ જ ખુશ છું. ટીમ ઈન્ડિયામાં ગબ્બરના નામથી ફેમસ શિખર ધવનનું કહેવું છે કે તે કમબેકની આશા જાળવી રહ્યો છે. તેણે કહ્યું કે હું સખત મહેનત કરી રહ્યો છું અને જાદુ ગમે ત્યાં થઈ શકે છે. તેથી જ હું તે તકની રાહ જાેઈ રહ્યો છું. ટીમ ઈન્ડિયાના સર્વશ્રેષ્ઠ ઓપનરોમાંથી એક શિખરે કહ્યું કે, ‘જાે હું પસંદગીકાર હોત તો અત્યારે મારી જગ્યાએ શુભમનને તક આપત. હું તકો માટે તૈયાર છું. ખેલાડીઓ માટે હંમેશા તકો હોય છે. જાદુ ગમે ત્યારે થઈ શકે છે. હું તેના માટે તૈયાર છું. શિખર ધવને કહ્યું કે કારકિર્દીના આ તબક્કે તે પંજાબ કિંગ્સની કેપ્ટનશીપ કરીને ખૂબ જ ખુશ છે. તેણે કહ્યું કે શુભમન વન-ડેમાં સારો દેખાવ કરી રહ્યો છે. તેથી તેને વન-ડેમાં તક મળી રહી છે. ગિલ માટે છેલ્લા કેટલાક મહિનાઓ શાનદાર રહ્યા છે. આ દરમિયાન તેણે વન-ડેમાં બેવડી સદી અને ટી-૨૦માં સદી ફટકારી છે.


