Delhi

પ્રધાનમંત્રી મોદીએ મુંબઇથી ૨ વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી બતાવી

નવીદિલ્હી
બહુપ્રતિક્ષિત સેમી હાઇ સ્પીડ રેલ વંદે ભારત એક્સપ્રેસ આખરે મધ્ય રેલવેના મુંબઈ વિભાગમાંથી પસાર થશે. વંદે ભારત સુપરફાસ્ટ એક્સપ્રેસ મુંબઈથી સાઈનગર શિરડી અને સોલાપુરથી મુંબઈ વચ્ચેના બે રૂટ પર દોડશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે મુંબઈ-સોલાપુર અને મુંબઈ-શિરડી વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી બતાવી હતી. વંદે ભારત રેલવે નાસિક જિલ્લામાં ત્ર્યંબકેશ્વર, સાંઈ બાબાના શિરડી, પંઢરપુર અને સિદ્ધેશ્વર મંદિર સોલાપુરને જાેડશે. વંદે ભારત રેલવે સીએસએમટી-સાઈ નગર શિરડીનું અંતર ૫ કલાક ૫૫ મિનિટમાં કાપશે અને આ ટ્રેન અઠવાડિયામાં છ દિવસ ચાલશે. અન્ય ટ્રેનોની સરખામણીમાં આ ટ્રેનમાં ખુરશીઓની વ્યવસ્થા વધુ ખુલ્લી અને આરામદાયક છે. ટ્રેનના તમામ કોચની હિલચાલ પર પણ કેમેરા દ્વારા નજર રાખવામાં આવશે. ટ્રેનમાં ઇમરજન્સીના કિસ્સામાં મુસાફરોને પ્રાથમિક સારવાર આપવા માટે જરૂરી સામગ્રી સાથે રાખવામાં આવે છે. આ ટ્રેન ૧૨૦ કિમી પ્રતિ કલાકની ઝડપે દોડે છે. આ ટ્રેનના તમામ કોચ વાતાનુકૂલિત છે. આ ટ્રેનમાં જીપીએસ આધારિત ઓડિયો વીડિયો સિસ્ટમ, ઓટોમેટિક બારીઓ અને દરવાજા, આધુનિક સીસીટીવી તમામ સુવિધાઓ છે. આ ટ્રેનની સુપરફાસ્ટ સ્પીડને કારણે હજારો મુસાફરોનો મુસાફરીનો સમય બચશે. જ્યારે મુંબઈ-સોલાપુર અને મુંબઈ-નાસિક-શિરડી શહેરો નજીક આવશે.

Page-04.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *