Delhi

બોલિવૂડની પીઢ અભિનેત્રી ઝીનત અમાને જણાવી દર્દનાક દાસ્તાન

નવીદિલ્હી
બોલિવૂડની પીઢ અભિનેત્રી ઝીનત અમાન તેના સમયની સૌથી બોલ્ડ અને સ્પષ્ટવક્તા અભિનેત્રી રહી છે. જ્યાં તેણે પોતાની માદક સુંદરતા અને ઉત્તમ અભિનયથી લોકોના દિલ જીતી લીધા હતા. ત્યારે તે તેના અંગત જીવનમાં ક્યારેય ખુશ નથી. તેઓ માત્ર શ્રેષ્ઠ ફિલ્મો માટે જ નહીં પરંતુ વિવાદાસ્પદ અંગત જીવન માટે પણ જાણીતા છે. ઉલ્લેખનીય છે કે, ઝીનતે અભિનેતા સંજય ખાન સાથે પહેલા લગ્ન કર્યા હતા, પરંતુ ટૂંક સમયમાં જ તેમના છૂટાછેડા થઈ ગયા હતા. જાે કે, ઝીનતે આ લગ્નમાં ઘણું ગુમાવ્યું હતું. તેની સુંદરતા સાથે તેણે કારકિર્દી પણ ગુમાવી દીધી હતી. મીડિયા રિપોર્ટ્‌સ અનુસાર, ઝીનત-સંજયના લગ્ન ૧૯૭૮માં થયા હતા. બંનેએ ખૂબ જ ગુપ્ત રીતે લગ્ન કરી લીધા. તે દિવસોમાં ઝીનત સફળતાના શિખરે હતી. જ્યારે સંજય ખાન પહેલેથી જ પરિણીત હતો અને ત્રણ બાળકોનો પિતા હતો. ઝીનત તેને દિલથી પ્રેમ કરતી હતી. તે સમયે ઝીનતે પોતાની સુંદરતાથી આખી ઈન્ડસ્ટ્રીને દિવાની બનાવી દીધી હતી અને તે પોતે સંજયની ફેન બની ગઈ હતી. પરંતુ આ પ્રેમે તેને તોડી નાંખી હતી. કારણ કે સંજય ખાન તેને વારંવાર મારતો હતો. જાે મીડિયા રિપોર્ટ્‌સનું માનીએ તો સંજયે ઝીનત પર ડિરેક્ટર સાથે અફેર હોવાનો આરોપ લગાવ્યો. જ્યારે ઝીનતને આ વાતની ખબર પડી ત્યારે તે લોનાવલામાં શૂટિંગ કરી રહી હતી. સંજયનું આ નિવેદન સાંભળીને તે શૂટિંગ છોડીને મુંબઈ પરત આવી ગઈ હતી. જ્યારે તે મુંબઈ પહોંચી ત્યારે તેને ખબર પડી કે સંજય તેની પહેલી પત્ની અને મિત્રો સાથે તાજ હોટેલમાં પાર્ટી કરી રહ્યો હતો. ઝીનત ગુસ્સામાં ત્યાં પહોંચી ગઈ. ઝીનતને ત્યાં આ રીતે જાેઈને સંજય ખાન સહિત દરેકને આશ્ચર્ય થયું. સંજયે ઝીનતને હોટલના રૂમમાં બોલાવી જ્યાં પહેલેથી જ તેની પહેલી પત્ની ત્યાં હાજર હતી. આ દરમિયાન બંને વચ્ચે ઉગ્ર દલીલો થવા લાગી. સંજય એટલો ગુસ્સે થયો કે, તેણે ઝીનતને બેરહેમીથી મારવાનું શરૂ કરી દીધું. રૂમની બહાર પણ ચીસોના અવાજાે સંભળાતા હતા. પરંતુ કોઈએ તેમને બચાવવાનું જાેખમ લીધું ન હતું. બાદમાં હોટેલ સ્ટાફ લોહીથી લથપથ ઝીનતને હોસ્પિટલ લઈ ગયો હતો. સારવાર દરમિયાન જાણવા મળ્યું કે, ઝીનતની આંખમાં પણ ઘણી ઈજાઓ થઈ છે અને તેનું જડબું પણ તૂટી ગયું છે. અકસ્માત બાદ ઝીનતની ઘણાં દિવસો સુધી હોસ્પિટલમાં સારવાર ચાલી હતી. સંજય ખાન સાથે છૂટાછેડા થયા પછી ઝીનતે ફરીથી અભિનેતા અને નિર્માતા મઝહર ખાન સાથે લગ્ન કર્યા અને તેમને બે પુત્રો છે. મઝહર હવે આ દુનિયામાં નથી. મઝહરના મૃત્યુ પછી ઝીનત અમાને અમન ખન્ના ઉર્ફે સરફરાઝ ઝફર અહસાન સાથે લગ્ન કર્યા. આ લગ્ન ૨૦૧૨માં થયા હતા. સરફરાઝ વ્યવસાયે રિયલ એસ્ટેટ બિઝનેસમેન હતો. આ લગ્ન એટલા માટે પણ ખૂબ ચર્ચામાં રહ્યા હતા કારણ કે તે દિવસોમાં ઝીનત ૫૯ વર્ષની હતી જ્યારે સરફરાઝ ૩૩ વર્ષનો હતો. જાે કે, આ લગ્ન પણ લાંબો સમય ટકી શક્યા નહીં. આ લગ્ન તોડતી વખતે ઝીનતે સરફરાઝ પર બળાત્કાર અને છેતરપિંડીનો આરોપ લગાવ્યો હતો. ઝીનતની એફઆઈઆર બાદ સરફરાઝની પણ મુંબઈ પોલીસે ધરપકડ કરી હતી અને તે ઘણાં દિવસો સુધી જેલમાં રહ્યો હતો. ઉલ્લેખનીય છે કે, જ્યારે ઝીનત સફળતાના શિખરે હતી. ત્યારે તેનું નામ એક્ટર દેવ આનંદ સાથે પણ જાેડાયું હતું. જાે કે, તે પહેલેથી જ પરિણીત હતો અને બે બાળકોનો પિતા હતો. તેથી તે ક્યારેય આ સંબંધને ખુલ્લેઆમ સ્વીકારી શક્યો નહીં. આ પછી ઝીનતનું નામ પાકિસ્તાની ક્રિકેટર ઈમરાન ખાન સાથે પણ જાેડાયું હતું.

File-01-Page-12.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *