Delhi

ભારતીય સેનાએ કરેલી બાલાકોટ એરસ્ટ્રાઈકના પુરા થયા ૪ વર્ષ!..

નવીદિલ્હી
બાલાકોટ સર્જીકલ સ્ટ્રાઈકને ૪ વર્ષ પૂર્ણ થયા. ૧૪ ફેબ્રુઆરી ૨૦૧૯માં જમ્મુ-કાશ્મીરના પુલવામામાં ભીષણ વિસ્ફોટ થયો હતો. જેમાં ઝ્રઇઁહ્લના ૭૮ જવાનોના કાફલાને નિશાન બનાવવામાં આવ્યા હતા. આ હુમલામાં આપણા ૪૦ જવાનો શહીદ થતાં આખો દેશ દુઃખી હતો. આ દરમિયાન પાકિસ્તાનના આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદે તેની જવાબદારી લીધી. આ તરફ તેના માત્ર બે જ અઠવાડિયામાં ૪૮ વર્ષમાં પહેલીવાર ભારતીય વાયુસેનાએ નિયંત્રણ રેખા એટલે કે ન્ર્ઝ્ર પાર કરી અને પાકિસ્તાનના પૂર્વોત્તર ક્ષેત્ર ખૈબર પખ્તુનખ્વાના બાલાકોટમાં જૈશ-એ-મોહમ્મદના તાલીમ શિબિરો પર સર્જિકલ સ્ટ્રાઈક કરી હતી. ભારતીય સેના દ્વારા બાલાકોટમાં કરવામાં આવેલ આ ઓપરેશનને ઓપરેશન બંદર નામ આપવામાં આવ્યું હતું. મીડિયા રિપોર્ટ્‌સનું માનીએ તો આ સમયગાળા દરમિયાન ભારતીય સેનાના મિરાજ દ્વારા લગભગ ૧૫૦-૨૦૦ આતંકવાદીઓ માર્યા ગયા હતા. જૈશ-એ-મોહમ્મદના નેતા મસૂદ અઝહરના સાળા સહિત લગભગ એક ડઝન મોટા આતંકવાદીઓ માર્યા ગયેલા લોકોમાં સામેલ હતા. એર સ્ટ્રાઈકની ૨૧ મિનિટમાં પરત ફર્યું વિમાન?.. શું તમે જાણો છો ખરા.. માહિતી મુજબ બાલાકોટમાં ૨૬ ફેબ્રુઆરી ૨૦૧૯ના દિવસે ગ્વાલિયર એરફોર્સ બેઝથી રાત્રે ૧૨ વાગ્યે થોડી હલચલ થઈ અને એક કલાકમાં જ રાત્રે ૧ઃ૧૫ વાગ્યે ૨૦ મિરાજ ૨૦૦૦ વિમાને અચાનક હવામાં ઉડાન ભરી. સવારે ૩ઃ૪૫ વાગ્યે કુલ ૧૨ મિરાજ એરક્રાફ્ટ પાકિસ્તાની જીછછમ્ એરબોર્ન વોર્નિંગ અને અન્ય સર્વેલન્સ ટેક્નિકથી બચીને પાકિસ્તાનમાં પ્રવેશ્યા. આ સમય દરમિયાન ચાર એરક્રાફ્ટ એસ્કોર્ટ કરી રહ્યા હતા અને ૫એ પાકિસ્તાનના પૂર્વોત્તર ક્ષેત્રમાં ખૈબર પખ્તુનખ્વાના બાલાકોટમાં જૈશ-એ-મોહમ્મદના આતંકવાદી કેમ્પ પર બોમ્બમારો કર્યો હતો. આ સિવાય સ્ૈષ્ઠટ્ઠ ઇહ્લ અને એર ટુ એર મિસાઇલથી સજ્જ ચાર મિરાજ તમામ એરક્રાફ્ટ પરત ન આવે ત્યાં સુધી રોકાયા હતા. આ સમગ્ર ઓપરેશનમાં ભારતીય સેનાને પીઓકેમાં પ્રવેશવાથી લઈને ભારતમાં ઉતરવામાં માત્ર ૨૧ મિનિટનો સમય લાગ્યો હતો. એક ખાનગી મીડિયા સંસ્થાન સાથે વાત કરતાં એર માર્શલ હરિ કુમાર કે જેઓ બાલાકોટ એર સ્ટ્રાઈકની યોજના ઘડી અને તેને અંજામ આપ્યો તેમણે કહ્યું હતું કે, ‘એર સ્ટ્રાઈકનું લક્ષ્ય અને પ્લાનિંગ ઈન્ટેલિજન્સ ઈનપુટ્‌સના આધારે નક્કી કરવામાં આવ્યું હતું. હડતાલમાં સામેલ એર માર્શલ હરિ કુમાર ફેબ્રુઆરી ૨૦૧૯માં જ નિવૃત્ત થવાના હતા. તેઓ વેસ્ટર્ન એર ફિલ્ડના કમાન્ડિંગ-ઇન-ચીફ (ર્છંઝ્ર-ૈંદ્ગ-ઝ્ર) હતા. તેમણે જણાવ્યું કે, પુલવામા હુમલાના ત્રણ કલાક બાદ તેમને ફોન આવ્યો અને એર ચીફ ફોન પર હતા. તેણે પૂછ્યું કે શું તે તૈયાર છે. એર માર્શલ હરિ કુમારે જવાબ આપ્યો, ‘હા, અમે તૈયાર છીએ.’ ઁસ્ મોદીએ લીધો મોટો ર્નિણય.. તે જાણો.. આ પછી ઁસ્ નરેન્દ્ર મોદીએ ૧૬ ફેબ્રુઆરીએ સવારે ૯ વાગ્યે કેબિનેટ કમિટીની બેઠક યોજી હતી અને જવાબી કાર્યવાહી કરવાનો ર્નિણય લીધો હતો. વડાપ્રધાનની બેઠકના બે દિવસ પછી ૧૮ ફેબ્રુઆરીએ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલે એક બેઠક બોલાવી હતી. આ બેઠકમાં ત્રણેય સેવાઓના વડાઓ અને ઇછઉના અધિકારીઓએ હાજરી આપી હતી. આ બેઠકમાં પાકિસ્તાનની આતંકવાદી હિલચાલ અને સરહદની આસપાસની ગતિવિધિઓ પર કેટલીક મહત્વપૂર્ણ માહિતી શેર કરવામાં આવી હતી. આમાં એવી માહિતી મળી હતી કે. પાકિસ્તાને સરહદ નજીક સ્થિત લૉન્ચપેડ અને ટ્રેનિંગ કેમ્પમાંથી આતંકવાદીઓને હટાવીને અન્યત્ર ખસેડ્યા છે. આ હુમલામાં ઘણી ગુપ્તતાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. જ્યાંથી વિમાનોએ ઉડાન ભરી હતી ત્યાંના ટોચના અધિકારીઓને પણ આ ઓપરેશનનો કોઈ સંકેત મળ્યો નથી. સેન્ટ્રલ એર કમાન્ડમાં રહેલા ગ્વાલિયર એરબેઝના ઓફિસર-ઈન્ચાર્જને પણ જ્યારે મિરાજે ટેકઓફ કર્યું ત્યારે ખબર પડી. મહત્વનું છે કે, બાલાકોટ એર સ્ટ્રાઈક ૨૬ ફેબ્રુઆરીએ થઈ હતી અને ત્યારબાદ દેશના તત્કાલીન વિદેશ સચિવ વિજય ગોખલેએ પોતાના નિવેદન સાથે આ વાતની પુષ્ટિ કરી હતી. તેમણે કહ્યું, આ બિન-લશ્કરી કાર્યવાહીમાં મોટી સંખ્યામાં જૈશ-એ-મોહમ્મદના આતંકવાદી કેમ્પો, સંગઠનના ટોચના કમાન્ડરો અને ફિદાયીન હુમલા માટે તૈયાર કરવામાં આવેલા આતંકવાદીઓને ખતમ કરવામાં આવ્યા છે. નેશનલ ટેકનિકલ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (દ્ગ્‌ઇર્ં) એ તેના અહેવાલમાં જણાવ્યું હતું કે, જે સમયે ઓપરેશન બંદર હાથ ધરવામાં આવ્યું હતું તે સમયે જૈશ-એ-મોહમ્મદના છુપાયેલા ઠેકાણાની આસપાસ ૨૦૦ મોબાઈલ સક્રિય હતા. તેમને ટ્રેક કરવામાં આવ્યા હતા અને ત્યાં આતંકવાદીઓની હાજરીના પુરાવા મળ્યા હતા. સર્જિકલ સ્ટ્રાઈક એટલે શું?.. તે જાણો.. સર્જિકલ સ્ટ્રાઈક એ સેના દ્વારા કરવામાં આવતો એક ખાસ પ્રકારનો હુમલો છે. આમાં સમય, સ્થળ, જવાનોની સંખ્યા સહિત સામાન્ય લોકોને કોઈ નુકશાન ન થાય તેનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે. જાે વાયુસેના દ્વારા સર્જિકલ સ્ટ્રાઈક કરવામાં આવી રહી છે, તો તે ચોક્કસ બોમ્બ ધડાકા કરવાનો પ્રયાસ કરે છે અને નજીકની ઇમારતો અથવા જીવનને ઓછામાં ઓછું નુકસાન થાય છે. બાલાકોટનું ઓપરેશન બંદર આવો જ એક હવાઈ હુમલો હતો. એર સ્ટ્રાઈક બાદ પાકિસ્તાને શું કહ્યું?.. તે જાણો.. બાલાકોટ એર સ્ટ્રાઈક પાકિસ્તાન માટે આંચકાથી ઓછી ન હતી. પાકિસ્તાની સેનાના પ્રવક્તા આસિફ ગફુરે સવારે ૫.૧૯ વાગ્યે સ્ટ્રાઈક પછી તરત જ ટિ્‌વટ કર્યું. ભારતીય લડાકુ વિમાનોએ નિયંત્રણ રેખા પાર કરીને મુઝફ્ફરાબાદ સેક્ટરના ત્રણથી ચાર કિલોમીટરની અંદર પ્રવેશ કર્યો હોવાનું કહેવાય છે. એટલે કે, ભારતીય વિમાનો આવ્યા હોવાની એર સ્ટ્રાઈકની વાત ખુદ પાકિસ્તાને સ્વીકારી હતી. એક ખાનગી ચેનલના વિડિયો રિપોર્ટમાં સ્થાનિક લોકોએ જણાવ્યું કે, તેઓએ મોડી રાત્રે એક પછી એક કુલ ચાર વિસ્ફોટો સાંભળ્યા. સ્થાનિક લોકોએ જણાવ્યું કે બોમ્બમારા થયાના દિવસથી જ સેનાને ઠેકાણા તરફ તૈનાત કરવામાં આવી હતી અને સામાન્ય લોકોની અવરજવર પર પ્રતિબંધ હતો. અહેવાલમાં જણાવ્યું હતું કે માર્યા ગયેલાઓમાં ૧૧ વરિષ્ઠ આતંકવાદીઓ હતા. જેઓ બોમ્બ બનાવવાથી લઈને હથિયાર ચલાવવાની તાલીમ લેતા હતા. તેમાંથી બે આતંકવાદીઓએ અફઘાનિસ્તાનથી ટ્રેનિંગ લીધી હતી. ફ્રાન્સેસ્કા મરિનાએ દાવો કર્યો હતો કે, તે સવારે ૩ઃ૩૦ વાગ્યે હુમલાના અઢી કલાક પછી ઘટનાસ્થળથી થોડે દૂર આર્મી કેમ્પમાં પહોંચી હતી. તેણે લખ્યું,પાકિસ્તાની સેના હુમલાના થોડા સમય બાદ ઘાયલોને શિંકિયારી (નજીકના વિસ્તાર)માં હરકત-ઉલ-મુજાહિદ્દીન કેમ્પમાં લાવી હતી. જ્યાં તેમની સારવાર કરવામાં આવી હતી. આ દરમિયાન ઓછામાં ઓછા ૨૦ આતંકીઓએ જીવ ગુમાવ્યા અને ૪૫ ગંભીર રીતે ઘાયલ થયા.

Page-04.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *