Delhi

મણિપુર હિંસામાં મૃત્યુ પામેલ લોકોના મૃતદેહ પરિવારજનો સ્વિકારવા તૈયાર નથી

નવીદિલ્હી
મણિપુરમાં જાતિય હિંસાએ રાજ્ય સરકારની સાથે સાથે કેન્દ્ર સરકારને પણ હચમચાવી દીધી હતી. હિંસાગ્રસ્ત વિસ્તારોની સમીક્ષા કરવા માટે કેન્દ્રીય મંત્રી અમિત શાહ પોતે પ્રવાસ પર આવ્યા હતા. તે જ સમયે, હવે મણિપુર સરકારે શુક્રવારે એક નિવેદનમાં કહ્યું કે મણિપુરમાં જાતિય હિંસામાં ઓછામાં ઓછા ૯૮ લોકોએ જીવ ગુમાવ્યો અને ૩૧૦ અન્ય ઘાયલ થયા. ત્યારે આ બધાની વ્ચ્ચે છેલ્લા ૨૪ કલાકમાં પોમ્બીખોકમાંથી હિંસાની ફરી ઘટના સામે આવી છે. જાે કે આ દરમિયાન કોઈ જાનહાની થઈ નથી. તાજેતરમાં મણિપુરના ઇમ્ફાલ પશ્ચિમ જિલ્લામાં હથિયારો અને બોમ્બથી સજ્જ કુકી આતંકવાદીઓએ બે ગામો પર હુમલો કર્યો, જેમાં ઓછામાં ઓછા ૧૫ લોકો ઘાયલ થયા છે. રાજ્ય પોલીસ અને મણિપુર રાઈફલ્સના જવાનોએ ફાયેંગ અને કાંગચુપ ચિંગખોંગના બે ગામોમાં તૈનાત પણ જવાબી કાર્યવાહી કરી હતી. શુક્રવારે રાત્રે ચાર કલાકથી વધુ સમય સુધી બંને તરફથી ગોળીબાર થયો હતો. આ અથડામણમાં, પોલીસે આતંકવાદીઓનો નજીકના પહાડોમાં પીછો કર્યો. મણિપુરમાં ૩ મેના રોજ હિંસા ફાટી નીકળી ત્યારથી આગજનીના કુલ ૪,૦૧૪ કેસ નોંધાયા છે. હિંસામાં મૃત્યુઆંક ૯૮ છે અને ઘાયલોની સંખ્યા ૩૧૦ છે. નિવેદનમાં જણાવાયું છે કે છેલ્લા એક મહિનામાં, રાજ્ય પોલીસે ૩,૭૩૪ કેસ નોંધ્યા છે અને હિંસામાં કથિત સંડોવણી બદલ ૬૫ લોકોની ધરપકડ કરી છે. સેના, આસામ રાઇફલ્સ, ઝ્રછઁહ્લ અને સ્થાનિક પોલીસને સંવેદનશીલ સ્થળોએ તૈનાત કરવામાં આવી છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે અત્યાર સુધીમાં કેન્દ્રીય સશસ્ત્ર દળોની ૮૪ કંપનીઓ તૈનાત કરવામાં આવી છે. ચુરાચંદપુરમાં કુકીઓ હજી સુધી મેઇટી સાથેના સંઘર્ષમાં મૃત્યુ પામેલાઓને દફનાવી શક્યા નથી. કિપજેનની હત્યાને ૨૯ દિવસ થઈ ગયા છે, પરંતુ ચુરાચંદપુરમાં તેનો પરિવાર હજુ પણ તેના મૃતદેહની રાહ જાેઈ રહ્યો છે. હિંસા શરૂ થઈ ત્યારથી ચુરાચંદપુર અને ઈમ્ફાલ વચ્ચેની વાતચીત લાઈનો બંધ થઈ ગઈ હોવાથી, પરિવારોને મૃતદેહોને યોગ્ય રીતે દફનાવવામાં કેટલો સમય લાગશે તેની ખાતરી નથી. આદિવાસીઓએ ચુરાચંદપુર જિલ્લા હોસ્પિટલમાં ૨૩ મૃતદેહોને દફનાવ્યા પણ નથી. તેઓ ઈમ્ફાલમાં શબઘરમાં રહેલા તમામ મૃતદેહોની રાહ જાેઈ રહ્યા છે. આદિવાસીઓ ઈચ્છે છે કે દરેક વ્યક્તિ એકસાથે મૃતદેહોને દફનાવે. મળતી માહિતી મુજબ, જિલ્લા હોસ્પિટલની બાજુમાં આવેલી ચુરાચંદપુર મેડિકલ કોલેજમાં સડી ગયેલા મૃતદેહોને કારણે દિવસેને દિવસે દુર્ગંધ ફેલાઈ રહી છે. હોસ્પિટલના શબઘરમાં ૧૨ મૃતદેહો રાખવાની ક્ષમતા છે, પરંતુ હિંસા બાદથી તે મૃતદેહોથી ભરેલી છે. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહની મંગળવારે ચુરાચંદપુરની મુલાકાત દરમિયાન, આદિવાસી નેતાઓ દ્વારા ચર્ચા કરવામાં આવેલા મુદ્દાઓ વચ્ચે, મૃતદેહોના અંતિમ સંસ્કાર પણ એક મહત્વપૂર્ણ મુદ્દો હતો. તેઓ સામૂહિક અગ્નિસંસ્કારની માંગ કરી રહ્યા છે. આદિવાસી આગેવાનોએ ગૃહમંત્રી પાસે માંગણી કરી છે કે વધુ વિલંબ કર્યા વિના તમામ મૃતદેહોની ઓળખ કરી યોગ્ય દફનવિધિ માટે ઘરે લાવવામાં આવે. તેમનું કહેવું છે કે તેઓ શહીદોની જેમ તેમના પરિવારના સભ્યોને સન્માનજનક અંતિમ સંસ્કાર આપવા માંગે છે.

File-01-Page-09.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *