જય જુલેલાલ 





આજરોજ અમરેલી સિંધી સમાજ દ્વારા ઈષ્ટદેવશ્રી જુલેલાલજીના ૧૦૭૩મા જન્મ દિવસની ઊજવણી ધામધૂમથી કરવામા આવેલ. જેમા સરબત તથા ચણાનો પ્રસાદ, મહાઆરતી, તેમજ સમુહ મહાપ્રસાદ નુ આયોજન મોઢ મહાજન વાડીમા કરવામા આવેલ..
જેમા સમાજના પ્રમુખશ્રી તારાચંદભાઈ ખુબચંદાણી તથા ઉપ પ્રમુખશ્રી રામદાસ નેનવાણી ના માર્ગદર્શન હેઠળ શ્યામભાઈ કાનાબાર, સુરેશભાઈ તનવાણી, મનીષભાઈ કતેરા, તથા નવયુવક મંડળ કાર્યકર કૈલાસભાઈ તનવાણી, વિજયભાઈ ખુબચંદાણી, રસીકભાઇ નૈનવાણી, ખીમચંદભાઈ ચંદ્રાણી,પરેશભાઈ તનવાણી, હરેશભાઈ ખુબચંદાણી તેમજ તમામ વડીલો તથા નવયુવાનોએ આ કાર્યને સફળ બનાવેલ.


