ઊના શહેરમાં દડુકેશ્વર મહાદેવ મંદિરે (સર્પદેવ) નાગદાદા તેમજ જલધારાની સ્થાપન પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. આ ધાર્મિક પ્રસંગે
દડુકેશ્વર ગ્રૃપના યુવાનો મહીલા મંડળ સહીત મોટી સંખ્યામાં લોકોએ ધામધુમથી ડિજેના તાલે નાગદાદા તેમજ જલધારાને મોટા
હનુમાન મંદિરથી દડુકેશ્વર મહાદેવના મંદિરે પહોચ્યા હતા. અને શિવલીંગ અને નાગદાદાની વિધિવત પૂજાઅર્ચના કરી સ્થાપન
કરવામાં આવ્યા હતા. આ ધાર્મીક કાર્યકમમાં દડુકેશ્વર મહીલા મંડળ સહીત મોટી સંખ્યામાં આ કાર્યમાં જોડાયા હતા. અને મહાદેવના
મંદિરે સત્યનારાયણ ભગવાની કથા તેમજ પ્રસાદીનું આયોજન કરેલ જેમાં લોકોએ પ્રસાદીનો લાભ લઇ ધન્યતા અનુભવી હતી.


