માનવ શરીરમાં બોન મેરો એટલે અસ્થિમજ્જામાંથી લાહી બનવાનું શરૂ થાય છે. આ લોહી બનવાની પ્રક્રિયામાં સ્ટેમસેલ દ્વારા લાહીના મુખ્ય ઘટક એવા રક્તકણ (RBC), શ્વેતકણ (WBC) અને પ્લેટલેટ્સનું નિર્માણ થાય છે. આપણા શરીરમાં રક્તકણ તાકાત આપે છે, શ્વેત કણ બિમારીઓ સામે લડવાનું અને પ્લેટલે્ટસ લોહીના બહાવને અટકાવે છે. આમ, લોહીના આ મુખ્ય ઘટકો ન બનવાને કારણે વધુ પડતો થાક લાગવો, ઈન્ફેક્સન થવું, વગેરે ગંભીર સમસ્યા સર્જાય છે. આ સ્થિતિમાં દર્દીના શરીરમાં રહેલા ખરાબ સેલને કીમોથેરાપી દ્વારા નાશ કરવામાં આવે છે. અને દર્દીના સાથે લોહીનો સંબંધ ધરાવનાર કે મોટા ભાગે ભાઈ-બહેન કોઈ એકના બોર્ન મેરો ટ્રાન્સ પ્લાંટ કરવામાં આવે છે. મિરલના કેસમાં પણ તેની નાની બહેનના બોન મેરો ટ્રાન્સ પ્લાંટ કરવામાં આવ્યાં હતા.
