મકસુદ કારીગર,કઠલાલ
કઠલાલ તાલુકાના ભાનેર ગામે પરમ પૂજ્ય શ્રી આદેશ નાથ બાપુ ની જાખણ લીમડી આશ્રમ થી પધરામણી કરવામાં આવી હતી. આ પ્રસંગે શોભાયાત્રા નું આયોજન કરવામાં આવ્યું હતું. શોભાયાત્રા ની શરૂઆત ભવાની માતાના મંદિરથી કરવામાં આવી હતી. શોભાયાત્રામાં સમગ્ર ભાનેર ના ગ્રામજનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.સમગ્ર કાર્યક્રમનું આયોજન ભોઈ ગોવિંદભાઈ રતિલાલ, સોલંકી વિજયસિંહ સનાભાઇ, રાવલ વિકાસકુમાર જેઠાલાલ, સોલંકી કિશનસિંહ ફૂલસિહ , સોલંકી અશોકસિંહ સનાભાઇ તથા કેસરિયા યુવક મંડળ દ્વારા કરવામાં આવ્યું હતું.
