એમ્બ્યુલન્સના ડ્રાઈવર અને ડોક્ટરે નવજાતનું જીવ બચાવવા માટે અથાગ પ્રયાસો કરવામાં આવ્યા છોટાઉદેપુર જિલ્લામાં વાવાઝોડાના પગલે રોડ રસ્તા બંધ થતાં નદી માંથી એમ્બ્યુલન્સ કાઢી નવજાત બાળકને દવાખાને પહોંચાડવામાં આવ્યો જબુગામ સી.એસ.સી.માં પ્રસુતિ બાદ જન્મેલ બાળકને શ્વાસ લેવામાં તકલીફ બાદ તેણે વેનટીલેટરની જરૂર હતી ફરજ ઉપર હાજર તબીબ ડૉ. હુજેફા ખત્રી અને એમ્બ્યુલન્સ ડ્રાઈવર સુરેશ દેસાઈએ બાળકને બોડેલીના ખાનગી દવાખાના સુધી પહોંચાડયો હતો રોડ રસ્તા ઉપર વૃક્ષો ધરાશય થતા બંધ હોવાથી એમ્બ્યુલન્સને ઓરસંગ નદીના પટમાં રહી બોડેલી લઈ જવાઈ હતી હાલ નવજાત બાળકને નવું જીવન દાન મળ્યું છે
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


