હાલના વાતાવરણમાં નાની જીવાત (મસી) અને મચ્છરોનો ઉપદ્રવ વધી ગયો છે. પ્રજાને આંખોમાં નુકશાન થાય છે. અને મચ્છરોને લીધે વાઈરલ બીમારીઓ વધી રહી છે. તેને નિયંત્રણમાં લાવવું અત્યંત પ્રજાહિતમાં જરૂરી છે. જેને લઈને જિલ્લા ભાજપ મહામંત્રી એ પત્ર લખ્યો
(૧) ખુલ્લી ગટરોની સફાઈ થાય અને દવાનો છંટકાવ થાય. (૨) જે તે સોસાયટીઓમાં વેસ્ટ કચરાના ઢગલા પડેલા છે. તેને હટાવી લેવા અથવા જે તે બિલ્ડર્સને હટાવી લેવાની તાકીદ કરવી. પત્ર માં લખ્યું હતું અને તાત્કાલિક નિયંત્રણ લાવવા બાબતે પત્ર લખ્યો હતો.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર
