Gujarat

જિલ્લાના ૭૪ પરીક્ષા કેન્દ્રો પર ૧૨૨૫ કર્મચારીઓ અને ૪૩૦ પોલીસ સ્ટાફ ફરજ બજાવશે

જૂનાગઢ જિલ્લા સહિત રાજ્યભરમાં આગામી તા.૭મી મેના રોજ તલાટી કમ મંત્રીની પરીક્ષા યોજાનાર છે. જેમાં જૂનાગઢ જિલ્લામાં કુલ-૭૪ પરીક્ષા કેન્દ્રો પર ૨૧૦૦૦ ઉમેદવારો પરીક્ષા આપશે.

ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળની જાહેરાત ક્રમાંક ૧૦/૨૦૨૧-૨૨ તલાટી કમ મંત્રીની સ્પર્ધાત્મક પરીક્ષા શાંતિપૂર્ણ વાતાવરણમાં લેવાય અને પરીક્ષા દરમિયાન કોઈપણ પ્રકારની ગેરરીતિ ન થાય એ માટે કલેક્ટર શ્રી અનિલ રાણાવસિયાના માર્ગદર્શન હેઠળ વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.

આગામી તા.૭ના રોજ બપોરના ૧૨-૩૦ થી ૧૩-૩૦ કલાક દરમિયાન તલાટી કમ મંત્રીની સ્પર્ધાત્મક પરીક્ષા યોજાનાર છે. જેમાં જૂનાગઢ જિલ્લામાં કુલ-૭૪ પરીક્ષા કેન્દ્રો ઉપર ૭૦૦ બ્લોકમાં કુલ-૨૧૦૦૦ ઉમેદવારોની બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે. જે અન્વયે જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્ર સાથે સંકળાયેલ અલગ અલગ વિભાગોના અંદાજિત ૧૨૦ અધિકારી-કર્મચારીઓ અને પરીક્ષા કેન્દ્રો પર અંદાજિત ૧૨૨૫ કર્મચારીઓને પરીક્ષાલક્ષી વિવિધ ફરજો સોંપવામાં આવેલ છે.

 આ પરીક્ષામાં કાયદો અને  વ્યવસ્થા માટે પોલીસ વિભાગના અંદાજિત ૪૩૦ પોલીસ સ્ટાફને પરીક્ષાલક્ષી બંદોબસ્તની ફરજો સોંપવામાં આવેલ છે. તેમજ જૂનાગઢ જિલ્લાના કેન્દ્ર ખાતે કોઈ ઉમેદવારને પરીક્ષા કેન્દ્ર શોધવામાં મુશ્કેલી ન પડે તે માટે જિલ્લા પંચાયત કચેરી, જૂનાગઢ ખાતે હેલ્પલાઇન નંબર ૦૨૮૫ -૨૩૩૬૦૩૨  પર તા.૭ મે  સુધી કચેરીના કામકાજના કલાકો દરમિયાન સંપર્ક કરવાનો રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *