Gujarat

જેતપુરમાં કેનાલમાંથી પ્રોઢનો મૃતદેહ મળી આવ્યો 

રાહદારીની નજર પડતાં જાણ થઈ
રાજકોટ જિલ્લાના જેતપુરમાં ધોરાજી રોડ  નજીક આવેલ કેનાલમાં પ્રોઢ નો તરતો મૃતદેહ કોઈને નજરે આવતા ઘટના સ્થળે દોડી ગયેલી પોલીસે તપાસ હાથ ધરતા આ લાશ જેતપુરના ધોરાજી રોડ નજીક રહેતા પરોઢની હોવાનું માલુમ પડ્યું હતું. બનાવ અંગે પોલીસે નોંધ કરી તપાસ ચલાવી છે.
આ સંદર્ભે પ્રાપ્ત થતી વિગતો અનુસાર જેતપુર પાસે નીકળતી ભાદર એક કેનાલમાંથી પ્રોઢ ની લાશ મળી આવી હતી. આ બનાવ અંગે પોલીસે તપાસ હાથ ધરતા આ લાશ જેતપુરના ધોરાજી રોડ નજીક  રહેતા વાસુભાઈ મોહનભાઈ જેઠવાણી ઉ.વ 53 નું ની હોવાનું માલુમ પડ્યું હતું. મરણ જનાર ગંભીર બીમારી હોવાનું પરિવારજનો એ જણાવ્યું હતું  પ્રોઢ ની લાશને સ્થાનિકનાં નજરે આવતા જેતપુર પોલીસેને જાણ થતાં ઘટના સ્થળે પહોંચી પરિવારનો સંપર્ક કરી લાશને પોસ્ટમોર્ટમ અર્થે જેતપુર સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી આ બનાવ અંગે પોલીસે નોંધ કરી તપાસ ચલાવી રહી છે.

IMG-20230212-WA0132.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *