તા.૬-૪-૨૦૨૩ સવારે ૯-૩૦ થી ૧૧-૩૦ દરમ્યાન નિ:શુલ્ક હિમોગ્લોબીન નિદાન કેમ્પનું આયોજન નવાવાડજ-નારણપુરા વિસ્તારમાં રહેતા રહીશોના લાભાર્થે ડૉ. બી.ટી.પટેલ ક્લિનિક,ગાયત્રી હોસ્પિટલ કિરણ પાર્ક સામે,નવા વાડજ ખાતે જાયન્ટ ગૃપ ઑફ અમદાવાદ મેઈન,ગાયત્રી પરિવાર નારણપુરા,આશીર્વાદ ફાઉન્ડેશન,ડૉ.બી.ટી.પટેલ તથા કવિવા લાઈફ સાયન્સ કંપની તેમજ ઉમેશ પટેલ,પંકજ જોષી,વાસુભાઈ ગોહેલ,દર્શી દેવલ પટેલ અને કાર્યકર મિત્રોના સહયોગથી કરવામાં આવ્યું હતું જેમાં ડૉ.બી.પટેલે જરૂરમંદોને નિ:શુલ્ક તપાસી સલાહ આપી દવા આપી હતી સદર શિબિરમાં ૭૦ ઉપરાંત સ્થાનિક લોકો તેમજ સીનીયર સીટીઝનોએ લાભ લીધો હતો.




