ધ્રાંગધ્રા તાલુકાના ગાજણવાવ ગામની પ્રાથમિક શાળામાં જીવતા ભગવાનની માતૃ પિતૃ વંદના હેઠળ ઉપકારોત્સવ ઉજવવામાં આવ્યો હતો. આધુનિક યુગનો માણસ સનાતન સંસ્કૃતિથી અડગો બની રહ્યો છે તયારે બાળકમાં સંસ્કૃતિ અને સંસ્કારનું સિંચન થાય તેવા પવિત્ર આશયથી ગાજણવાવ ગામની પ્રાથમિક શાળામાં ભણતા વિદ્યાર્થીઓ ને વૈદિક મંત્રોચાર અને યજ્ઞ હવન સાથે માતા પિતાની પૂજા અને આજ્ઞાવ્રત રહેવા સંકલ્પ આપવામાં આવ્યો હતો


