ધ્રાંગધ્રા : હિતેશ રાજપરા..
ધ્રાંગધ્રા સુરેન્દ્રનગર રોડ ઉપર નવલગઢ પાસે આવેલા 66 kv સબસ્ટેશનમાં અગમ્ય કારણોસર આગ લાગી હતી. ભારદ સપ્લાય લાઈન તરીકે આ સબસ્ટેશન મારફતે ભારદ, પ્રતાપપૂર, રાજચરાડી, રાજસીતાપુર, ડુમાણા, ખાંભડા, હામપર જેવા ગામડાઓમાં વિજપુરવઠો પૂરો પાડવામાં આવે છે જો કે pgvcl દ્વારા ગણતરીની કલાકોમાં જ વીજ સપ્લાય રાબેતા મુજબ કર્યો હતો તયારે આકસ્મિક કારણોસર લાગેલી આ આગ થી સબસ્ટેશનનાં માત્ર અમુક જ ભાગમાં નુકશાન પહોંચ્યું હતું


