Gujarat

પરશુરામ સેના દ્વારા ભગવાન પરશુરામ પ્રાગટ્યો મહોત્સવ સાવરકુંડલામાં ઊજવાશે

સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
ભગવાન શ્રી પરશુરામદાદાનું પૂજન બાદ ભવ્યાથી
ભવ્ય શોભાયાત્રામાં ૬૦૦૦૦ વોલ્ટ ડીજે મિક્ષ્ચર સાથે શોભાયાત્રા નીકળશે, ત્યારબાદ  મહાઆરતીનું આયોજન કરવામાં આવશે.
———————————————————————પરશુરામ સેના સાવરકુંડલા દ્વારા ભગવાન વિષ્ણુનાં છઠ્ઠા અવતાર, ભૂદેવોનાં આરાધ્ય દેવ ચિરંજીવી ભગવાન પરશુરામદાદાના પ્રાગટ્ય મહોત્સવની તા ૨૨/૪/૨૦૨૩નાં રોજ ભગવાન પરશુરામદાદાનો પ્રાગટ્ય દિવસ છે. ત્યારે પરશુરામ સેના ઉજવણી કરવા આતુર બન્યું છે,
જેમાં પરશુરામ દાદાનું પૂજન બપોરે ૪ કલાકે ત્યારબાદ ભવ્યથી ભવ્ય શોભાયાત્રામાં ૬૦૦૦૦ વોલ્ટેજ ડીજે મિક્ચર સાથે રથ, સુશોભિત ટ્રેક્ટર, બાઇક,કાર. શોભાયાત્રા જોડાશે. સાંજે ૫:૦૦ કલાકે સાવરકુંડલા ખાતે આવેલ શ્રી બ્રહ્મપુરીથી પ્રસ્થાન કરી સાવરકુંડલા શહેરનાં મુખ્ય માર્ગો પર શોભાયાત્રા ફરશે ત્યારબાદ  બ્રહ્મપુરી ખાતે  પરશુરામદાદાની મહાઆરતી કરવામાં આવશે.  જેની સાવરકુંડલા તાલુકામાં વસતા સર્વે ભુદેવોએ નોંધ લેવા શ્રી પરશુરામ સેના સાવરકુંડલા આહવાન કરે છે.

IMG-20230421-WA0011.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *