મકસુદ કારીગર,કઠલાલ
બાળકોમાં ધાર્મિક શ્રદ્ધા એ તેમનાં ઉજ્જવળ ભવિષ્યની આગાહી કરે છે.
બાળકોમાં હંમેશા નિર્દોષ ભાવ હોય છે અને બાળપણમાં જ તેમને જો યોગ્ય જ્ઞાન આપવામાં આવે તો તે ગમે તેવાં કપરા સમયમાં સંયમ સાથે જીવન નિર્વાહ કરી શકે છે. આનું ઉત્તમ ઉદાહરણ એટલે કઠલાલ તાલુકાના પીઠાઇ ગામ રહેતા અઝરૂદ્દીન સમસુદ્દીન સૈયદ ની આઠ વર્ષની દીકરી આફિયા બાનું જેણે પવિત્ર રમઝાન માસ નો પહેલો રોઝો રાખી દીવસ દરમ્યાન સતત ૧૪ કલાક સુધી ભુખ્યા તરસ્યાં રહી ત્યાગ બલિદાન અને સમર્પણની સાથે ધૈર્ય અને સંયમ શું છે તેની સિખ આપી પ્રથમ રોઝો રાખી અલ્લાહની ઈબાદત કરી પોતાનાં ઘર પરિવાર સમાજ અને દેશની સુખ શાંતિ સમૃદ્ધિ અને સલામતી માટે પ્રાર્થના કરી હતી.


