જૂનાગઢ વાસ્મો દ્વારા વિસાવદર તાલુકાના ઈશ્વરિયા (ગીર) ગામ માટેના અંદાજીત રૂપિયા ૨૬.૩૮ લાખના પીવાના પાણી માટેના કામો મંજૂર કરવામાં આવ્યા છે.
ઈશ્વરિયા (ગીર) ગામની ૭૭૭ જેટલી વસ્તી છે. વાસ્મો દ્વારા ઈશ્વરિયા (ગીર) ગામના વિકાસના વિકાસકામો માટે અંદાજે રૂપિયા ૨૬.૩૮ લાખ મંજૂર કરાયા છે. જેમાં પાઇપલાઇન, પંમ્પીંગ મશીનરી,નળ કનેકશન, પાવર કનેકશનજ સહિતના કામો હાથ ધરવામાં આવશે.
