Gujarat

શાપર-વેરાવળ ના રામજી મંદિરો માં રામ જન્મોત્સવ ની  ધામધૂમપૂર્વક ઉજવણી કરાય.

શાપર-વેરાવળ સહીત સૌરાષ્ટ્ર ભરમાં રામનવમી ની ધામધૂમ થી ઉજવની કરાય હતી. અખિલ બ્રહ્માંડ ના અધિપતી રધુકુળ ભૂષણ સમગ્ર હિન્દૂ સમાજ ના આરાધ્ય દેવ ભગવાન શ્રી રામચંદ્રજીનો જન્મોત્સવ ભવ્યતાથી ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.જેમાં
શાપર-વેરાવળ માં બંને રામજીમંદિરો આશરે બહુ મહા ત્યામય પૌરાણિક મંદિરો આવેલા છે. જેમાં દરેક ધાર્મિક તહેવારો ધામધૂમ થી ઉજવણી કરવામાં આવે છે.ત્યારે અહીંયા સવાર સાંજ ની સંધ્યા આરતી માં આરતી માં ગ્રામ જનો મોટી સંખ્યા માં ઉમટી પડે છે. જેમાં આજરોજ રામ નવમી નિમિતે બપોરે 12 વાગ્યાં ની મહા આરતી માં બંને રામજી મંદિરો માં ભક્તો ની ભીડ જોવા મળતી હતી.સાથે વેરાવળ ગામના ગાયત્રી મંદિર ખાતે પણ ની રામ જન્મોત્સવ ની
ભવ્ય ઉજવણી કરાય હતી. તેમજ રામધૂન ભજન.સત્સંગ સહીત ના મહિલાઓ દ્વવારા કરાયા હતા અને જય શ્રી રામ ના જયધોસ ના નારા સાથે સમગ્ર મંદિરો ગુંજી ઉઠ્યા હતા.રામ નવમી પર્વ ની હરસોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી.
રિપોર્ટર:-પંકજ ટીલાવત વેરાવળ-શાપર

1680161221308.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *