રાજ્ય પરીક્ષા બોર્ડ-ગાંધીનગર દ્વારા ધોરણ ૬ માં લેવામાં આવતી Gujarat Primary Scholarship Exam-2023 માં પ્રતિવર્ષ તાલુકામાંથી બે વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ આપવામાં આવે છે.
જેમાં ભેંસાણ તાલુકાના સરકારી અને ખાનગી પ્રાથમિક શાળાઓના ધોરણ ૬ ના વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપેલ હતી. તેમાંથી શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ જીન પ્લોટ પે સે. સરકારી પ્રાથમિક શાળાના ધોરણ ૬ માં અભ્યાસ કરતા કુંજ કેતનભાઇ હરખાણી એ કુલ ૨૦૦ ગુણ માંથી ૧૭૧ જેટલા ઉચ્ચ ગુણ પ્રાપ્ત કરી પ્રથમ નંબર મેળવી આ શિષ્યવૃતિ મેળવવા માટે લાભાન્વિત થયા છે. ત્યારે તેમના પરિવાર અને શાળા સહિત તાલુકાનું ગૌરવ વધારવા બદલ શાળા પરિવાર તેમને અભિનંદન પાઠવે છે.


