સાવરકુંડલા શોરાવાડી સોસાયટી મા આવેલ કેસરીનંદન હનુમાનજી ના મંદિરે હનુમાન જન્મોત્સવ ની ભવ્ય ઉજવણી કરવા મા આવેલ. તમામ રહીશો ના સહકાર થી આયોજન કરેલ. શોરાવાડી સોસાયટી ના યુવક મંડળ દ્રારા સુદર વ્યવસ્થા કરેલ. આ પ્રસંગે સોસાયટી નો યુવક મહેતા નચિકેતા તાજેતર મા ઈન્ડીયન આર્મી નાસિક ફરજ મા નિમણૂક થઈ હોય જે સોસાયટી માટે ગર્વ ની વાત કહેવાય જેથી યુવક મંડળ ના પ્રમુખ મીલનભાઈ રૂપારેલીયા તેમજ તમામ સભ્યો દ્રારા પુષ્પગુચ્છ આપી ને મહેતા નચિકેતા ને સન્માનિત કરી શુભેચ્છાઓ અને અભિનંદન પાઠવેલ..
રિપોર્ટર:યોગેશ ઉનડક્ટ સાવરકુંડલા અમરેલી


