મોરબીના હળવદમાંથી એક દુષ્કર્મની ઘટના સામે આવી છે. એક નરાધમે સગીરા સાથે ખેતરમાં દુષ્કર્મ આચર્યુ હોવાની વાત સામે આવ્યા બાદ પોલીસ ફરિયાદ નોંધાઇ છે. માહિતી છે કે, મોરબી હળવદમાં ૧૨ વર્ષ ૫ માસની એક સગીરા સાથે નરાધમે દુષ્કર્મ આચર્યું છે. રતનાભાઈ ભીમાભાઇ ભરવાડ નામના નરાધમે દુષ્કર્મ સગીરાના એકલતાનો લાભ લીધો, પહેલા આરોપી સગીરાને તેની વાડીની બાજુની ઓરડીમાં ગયો હતો, બાદમાં ત્યાં સગીરા સાથે દુષ્કર્મ આચર્યુ હતુ. આ બનાવ બાદ પોલીસે આરોપી સામે હળવદ પોલીસે દુષ્કર્મ અને એસ્ટ્રૉસિટી કલમ અંતર્ગત ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.
