ભાવેશભાઈ લખાણી જેઓ ૧૭ વર્ષથી સાસણમાં ટુરીસ્ટ ગાઈડ તરીકે કામ કરે છે તેમણે જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમમાં સહભાગી બનવાનો અવસર એ ગૌરવપૂર્ણ બાબત છે.
તેમણે કહ્યું હતું કે, આજના દિવસે હર્ષથી આંખો અને હદય છલકાઈ જાય છે. આજ થી હજારો વર્ષ પહેલાં સોમનાથ અને આ વિસ્તારોમાંથી વિસ્થાપિત થયેલા આપણા પરિવારજનો તમિલનાડુમાં સ્થાયી થયા હતા. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદીના પ્રયાસો અને સંકલનથી વર્ષો બાદ આપણા તમિલ બાંધવોનો મીલનનો અવસર બન્યો છે.
વડાપ્રધાનશ્રીની પ્રેરણાથી વર્ષો પછી સૌરાષ્ટ્ર તમિલ બાંધવોનું અહીં મિલન થયું છે.


