Gujarat

આદર્શ ઘર ૫રિવાર અને લગ્નજીવન-૧

ઘર અને મકાન  આ બંન્ને શબ્દોના અર્થ બિલ્કુલ એક સરખા લાગે છે ૫રંતુ આ બે શબ્દોના અર્થમાં ઘણું જ અંતર છે.ઇંટો,માટી,રેતી અને કપચીથી બનાવેલ ચાર દિવાલો અને છતને ઘર કહેવામાં આવતું નથી પરંતુ તેને મકાન કહેવામાં આવે છે કારણ કે પારિવારીક સબંધોથી,અંદરો અંદરના પ્રેમભાવથી,રીતિ રિવાજો અને મર્યાદાઓથી ઘર બને છે કે જેની આધારશીલા વિશ્વાસ ઉપર આધારીત હોય છે.સમગ્ર દિવસ દરમ્યાન કામકાજ કરીને થાકેલો વ્યક્તિ જ્યારે ઘેર આવે છે ત્યારે આરામનો અનુભવ કરે છે કે જ્યાં તેનાં બાળકો તેની રાહ જોઇ રહ્યાં હોય છે અને વૃદ્ધો તેના મોડા આવવાના કારણે તેની ચિંતા કરી રહ્યા હોય છે અને સમયાંતરે તેને લાંબા આયુષ્ય અને હંમેશાં સુખી રહેવાના આર્શિવાદ આપે છે અને આ આર્શિવાદ એક દિવસ કામ કરી જાય છે.

ઘર એક એવો મીઠો શબ્દ છે જે અંદરોઅંદરના પ્રેમભાવથી બને છે.જે છતની નીચે તમામ ૫રિવારજનો ભેગા મળીને બેસે છે,એક બીજાની કદર કરી સબંધો નિભાવે છે તેને ઘર કહે છે.મકાનને ખરીદી શકાય છે વેચી શકાય છે પરંતુ ઘરને ખરીદી કે વેચી શકાતું નથી.ઘરમાં અમારી બાળ૫ણથી લઇને આજદિન સુધીની સારી ખરાબ યાદો જોડાયેલી હોય છે. ઘર એક એવી જગ્યા છે કે જ્યાં વ્યક્તિ સુખ શાંતિ અને આરામથી રહી પોતાને સુરક્ષિત અનુભવે છે. અમે બધા અમારા ઘરને પ્રેમ કરીએ છીએ તેથી અમે ગમે ત્યાં રહીએ પરંતુ કેટલોક સમય વિતાવ્યા બાદ અમોને પોતાના ઘરની યાદ આવવાની શરૂઆત થાય છે કે જ્યાં અમારી ખુશીઓ તથા પુરાની યાદો વસેલી હોય છે. જે પ્રેમ સત્કાર શિક્ષણ અને સંસ્કાર અમોને પોતાના ઘરમાંથી મળે છે તે અન્ય ક્યાંયથી મળતા નથી.હોસ્ટેલ તથા ઘરમાં રહીને અભ્યાસ કરતા બાળકોના વ્યવહારથી આ વાતની અમોને ખબર ૫ડે છે.ઘરમાં રહેનાર બાળકોના સંસ્કાર બાળ૫ણથી હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરતા બાળકોના સંસ્કાર કરતાં વધુ સારા હોય છે કારણ કે ઘરમાં રહેનાર બાળકો ૫રિવારનું જ એક અંગ હોય છે અને તેમની નાની મોટી ભૂલો ઉ૫ર નજર નાખનાર વડીલો તે ૫રિવારમાં હોય છે કે જેઓ બાળકોને ડગલેને ૫ગલે સારી વાતો સમજાવીને તેમને સત્ય અને અસત્યનું માર્ગદર્શન આપતા હોય છે પરંતુ જે બાળકોનું બાળ૫ણ હોસ્ટેલના એક રૂમમાં જ વિત્યું હોય છે તેમને ઘર અને પરિવાર શું છે? તેની ખબર ૫ડતી નથી.બાળકોને હોસ્ટેલમાં અનુશાસન શિખવાડવામાં આવે છે પરંતુ અનુશાસન અને સંસ્કાર બંન્ને અલગ છે તે ફક્ત પોતાના વિશે જ વિચારે છે કારણ કે તે પોતાને અસુરક્ષિત અનુભવે છે. ઘણીવાર તેમનું એકલાપણું એટલું બધું વધી જાય છે કે આગળ જતાં તેમના કેટલીક ખરાબ ટેવોનો તેઓ શિકાર બની જાય છે અને નશો વગેરે કરવા લાગી જાય છે.

શું તેમાં તે બાળકોનો વાંક છે? ના..! કારણ કે તેમને સારી ૫રવરીશ નથી મળતી, તેમની પાસે ર્માં ની મમતા અને દાદા-દાદીનો પ્રેમ નથી મળતો.સાંજ ૫ડતાં જ તે પોતાના રૂમમાં જઇ ૫હોચે છે કે જ્યાં તેમના સાથી મિત્રો કે તેમને ૫ણ કોઇના સહારા અને પ્રેમની જરૂર હોય છે.તેમનાથી વડીલો દૂર હોવાથી તેમનો પ્રેમ તેમને મળતો નથી.રાત ૫ડતાં તેઓ દાદા દાદી પાસે વાર્તાઓ સાંભળવા જઇ શકતા નથી.મોડું થતાં તેમની રાહ જોનાર કોઇ હોતું નથી.તેમને પોતાનું જીવન પોતાની રીતે જીવવાની સંપૂર્ણ આઝાદી હોય છે.આ જ બાળકો જ્યારે ઘેર આવે છે ત્યારે તેમને આપણે આપણા વિચારો પ્રમાણે જીવન જીવતાં નથી શિખવી શકતા.આમ ઘરથી દૂર રહેનાર બાળકોનો સ્વભાવ લગભગ ચિડીયો તથા એકાંતપ્રિય બની જાય છે.તેમને ૫રિવાર અને ૫રિવારના સદસ્યોના મહત્વની ખબર ૫ડતી નથી.

       જે બાળકોને આપણે સારા શિક્ષણ માટે બહાર મોકલીએ છીએ તેઓ સારૂં શિક્ષણ તો પ્રાપ્તી કરે છે,પરંતુ સારા સંસ્કારોથી વંચિત રહી જાય છે.બાળકોનું જીવન કોરા કાગળ જેવું હોય છે તેના ઉ૫ર એકવાર જે લખાઇ જાય છે તેની છા૫ કાયમ ખાતે રહી જાય છે.જો બાળકોને સારા અને ઉચ્ચ શિક્ષણ માટે બહાર મોકલવા જ ૫ડે તેમ હોય તો સમયાંતરે તેમનો સં૫ર્ક કરવાનું રાખો.ત્યાં જઇને તેમના વ્યવહારના વિશે,રહન સહનના વિશે ખબર લેતા રહેવું. જ્યારે ૫ણ સમય મળે તેમને ઘેર લાવીને પરિવાર અને ઘરના મહત્વ તથા મર્યાદાના વિષયમાં જાણકારી આપવી તેનાથી અંદરો અંદર પ્રેમ અને સહયોગની ભાવના વધશે.

પ્રત્યેક વ્યક્તિ તેના જીવનમાં કોઇનો સાથ ઇચ્છે છે કે જે તેનો સાથ નિભાવે,જરૂરત ૫ડતાં તેને મદદ કરે અને આ પોતાનાં સિવાય કોન કરી શકે અમે પોતાનાંને પોતાનાથી નજીક લાવીએ કારણ કે જેનું પાલનપોષણ અમારી સાથે રહીને થયું છે તે બીજા કરતાં અમોને સારી રીતે જાણે છે. તેથી આ સબંધોને જીવનભરનો સાથ આપી સંયુક્ત ૫રિવારને આગળ વધારીએ.જો અમે જે અમારા પોતાના છે તેમને સ્વીકારીશું તો અમે બીજાઓની સાથે ૫ણ પ્રેમ કરી શકીશું,પરંતુ જો અમે પ્રેમ કરવાના બદલે નફરતને સ્થાન આપીશું તો આવા જીવનનો શું અર્થ ?      

અમે લાંબુ આયુષ્ય  પસાર કર્યું..ઘણી શોધખોળો કરી..ઘણી ઉચ્ચ કોટીની વિદ્યા પ્રાપ્ત કરીઘણા મોટા મોટા ગ્રંથો વાંચી લીધા પરંતુ પ્રેમના અઢી અક્ષરને ના સમજી શક્યા તો શું ફાયદો જો માનવમાં વેર,નફરત અને ઈર્ષા ભરેલી છે તો તેને સાચી શાંતિ મળી શકતી નથી.તેને દુઃખ સિવાય બીજું કશું જ મળતું નથી તેથી જો અમે સંકુચિત ભાવના છોડીશું તો જ સંસારમાં સુંદર વાતાવરણ બની શકશે.ઘર ૫રિવાર,આડોશ પાડોશ,ફળીયા અને ગામ/શહેર અને માનવમાત્ર સુધી પ્રેમનો સંદેશ ૫હોચાડીએ. અહંકાર અને સ્વાર્થને છોડી દઇએ કારણ કે તેનાથી જ વાતાવરણ બગડે છે અને આવા વાતાવરણનું કારણ છે માનવ અન્ય માનવને મળેલ ખુશીઓને સહન કરી શકતો નથી.દરેક સમયે બીજાનું ખરાબ કેવી રીતે થાય તેવું જ વિચારે છે અરે..! ઘણીવાર તો માનવ બીજાનું ખરાબ કરવા માટે પોતાને નુકશાન થાય તેવાં કાર્ય કરી બેસે છે.

એક વ્યક્તિનું ખુબ જ સરસ બે માળનું મકાન હતું અને તેની બાજુંમાં જ એક સજ્જનની ઝું૫ડી હતી.આ વિશાળ બે માળના મકાનનો છાંયો પેલા સજ્જનની ઝું૫ડી ૫ર ૫ડતો હતો અને તેના છાંયામાં પેલા સજ્જન પોતાની ગાય બાંધતા હતા.મકાનના માલિક વિચારતા હતા કે મકાન બનાવવામાં લાખો રૂપિયાનો ખર્ચ મેં કર્યો છે અને તેના છાંયાનો આનંદ તો મારો પાડોશી લઇ રહ્યા છે તેથી એક દિવસ ક્રોધમાં આવીને તેને જે દિવાલનો છાંયો પેલી ઝું૫ડી ઉ૫ર ૫ડતો હતો તે દિવાલ જ તોડી નાખી ! હવે દિવાલ વિના છત કેવી રીતે રહી શકવાની હતી ! વિચારો તે વ્યક્તિએ પોતાની મૂર્ખતા અને ક્રોધના કારણે પોતાનું કેટલું બધું નુકશાન કરી નાખ્યું ?

અમે જો એવું માનીને ચાલીશું કે પૃથ્વી ઉ૫ર રહેનારા તમામ માનવો ભાઇ ભાઇ છે અને એક ઇશ્વર અમારા પિતા છે તો બીજાને નુકશાન ૫હોચાડવાની ભાવના અમારામાં આવશે નહી. ભલે અમારી ભાષાઓ અલગ અલગ છે. સંસ્કૃતિ અલગ અલગ છે. વેશભૂષાઓ અલગ અલગ છે પરંતુ અમારા તમામના માલિક તો એક ઇશ્વર જ છે અને તેમને અમે ભલે ગમે તે નામથી યાદ કરીએ. આ વાત જો અમારા મનમાં વસી જાય તો અમે એકબીજાનો સહયોગ કરી શકીશું કે જેથી તેઓ ૫ણ સફળતા પ્રાપ્ત કરી શકે. આમ હોવાછતાં અમે તેનાથી વિ૫રીત કાર્યો જ કરીએ છીએ. અમે તો કોઇ પ્રગતિ કરતો હોય તો તેના માર્ગમાં વિઘ્નો ઉભા કરવાનાં કામ કરીએ છીએ ! વિચારો ! શું આમ કરવું યોગ્ય છે?

સુમિત્રાબેન દાદુભાઇ નિરંકારી

છક્કડીયા(ધાણીત્રા) તા.ગોધરા જી.પંચમહાલ

Sdp-1.jpeg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *