ઉનાના સામતેર ગામે રાવલ નદી ઉપર બનાવેલ મુખ્ય હાઈવેનો પુલની સાઇડની રેલીંગ તુટી ગયેલ હોય આ પુલ ઉપરથી ચોવીસ
કલાક પસાર થતા નાના મોટા વાહનોના કારણે ભયંકર અકસ્માત સજાવવાનો ભય લોકોને સતાવી રહ્યો છે. સામતેર ગામેને અડીને
આવેલા આ પુલ વર્ષો જુનો હોય અને દરેક વાહન ગામ માંથી પસાર થતાં હોય નેશનલ હાઇવે માર્ગ પંચાયત વિભાગ દ્વારા આ
પુલની બન્ને સાઈડનાં ભાગે રેલીંગ તુટી ગયેલ છે. રાત્રી દરમ્યાન અંધારામાં દોડતાં વાહન આકસ્મિક રીતે પુલ ઉપરથી પસાર થાઈ
અને સીધા જ નદીમાં ખાબકી પડે તો માનવ જીંદગી ગુમાવી પડે તેવી સ્થિતિ સર્જાઈ છે. આ બાબતે ગામ પંચાયતનાં સરપંચ,
ઉપસરપંચ સહિતના ગ્રામજનો દ્વારા અવાર નવાર રજુઆત કરવા છતાં પુલની બન્ને સાઈડનું કામ મરામત નહિં થતાં તંત્ર સામે
આક્રોશ ઉઠવા પામેલ છે. આ પુલ ઉપરથી અનેક વખતે તંત્રનાં જવાબદાર અધીકારીઓ અવર જવર કરતા હોવા છતાં નરીઆંખે
દેખાઈ આવતી તુટેલી રેલીંગ નવી બનાવવામાં કેમ આવતી નથી તેવો પ્રશ્ર્નો ઉઠવા પામ્યો છે…


