Gujarat

ઉમેશ પાલ હત્યાકાંડના આરોપીને લેવા માટે ઉત્તરપ્રદેશ પોલીસ આવી અમદાવાદ

અમદાવાદ
ઉમેશ પાલ હત્યાકાંડના આરોપી અતીક અહેમદને લેવા માટે ઉત્તરપ્રદેશ પોલીસ અમદાવાદ આવી છે. આવામાં એક મોટી ખબર એવી આવી રહી છે કે અતીકને યુપી પોલીસની જી્‌હ્લ સાથે જવાનો ડર લાગી રહ્યો છે. સૂત્રો દ્વારા મળતી વિગતો પ્રમાણે અતીક કહે છે કે, ‘હું જેલમાં સુરક્ષિત છું..’ આ સાથે તેણે યુપી પોલીસ સાથે જવાનો ઈનકાર કર્યો હોવાની વિગતો સૂત્રો તરફથી પ્રાપ્ત થઈ રહી છે. અતીક અહેમદ ૩ જૂન ૨૦૧૯થી અમદાવાદની સાબરમતી સેન્ટ્રલ જેલમાં બંધ છે. તેને ઉમેશ પાલ હત્યા કેસમાં પૂછપરછ માટે યુપી પોલીસ લેવા માટે સવારની અમદાવાદ પહોંચી છે અને જેલમાંથી તેનો કબજાે મેળવવા માટે જરુરી કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. યુપી પોલીસ સાથે જતા અતીકને લાગે છે ડર?.. સૂત્રો દ્વારા મળતી વિગતો પ્રમાણે અતીક જેલમાંથી બહાર નીકળવાનો ઈનકાર કર્યો છે અને હું જેલમાં સુરક્ષિત છું તેવું જણાવ્યું છે. અતીકને યુપી લઈ જવા માટે ત્રણ પોલીસકર્મી જેલના વેઈટિંગ હોલમાં આદેશની રાહ જાેઈને બેઠા હોવાની વિગતો મળી રહી છે. વહેલી સવારથી અતીકનો કબજાે મેળવા માટે યુપી પોલીસ સાબરમતી પોલીસ સ્ટેશન પહોંચી ગઈ છે. અતીકને યુપીની બહાર કોઈ જેલમાં રાખવાનો આદેશ કર્યો હતો તે પછી વર્ષ ૨૦૧૯થી અતીક અમદાવાદની સાબરમતી જેલમાં બંધ છે. આ દરમિયાન વારંવાર યુપી પોલીસ અતીક અહેમદની પૂછપરછ કરવા માટે પણ અમદાવાદ આવી ચૂકી છે. નોંધનીય છે કે, યુપીના ચકચારી રાજુ પાલ હત્યાકાંડના મુખ્ય ગવાહ ઉમેશ પાલની હત્યાના કેસમાં અતીક અહેમદની પૂછપરછ કરવા માટે તેને તેડવા માટે પોલીસ આવી પહોંવાનું માનવામાં આવી રહ્યું છે. અતીક સામે હત્યા, ખંડણીના ઘણાં આરોપ પણ થયેલા છે. યુપી પોલીસ અતીકને તેડવા માટે ટ્રાન્ફર વોરન્ટ લઈને પહોંચી છે. સમાજવાદી પાર્ટીના પૂર્વ સાંસદ અને ધારાસભ્ય રહી ચુકેલા અતિક અહેમદ સામે જે ગુના નોંધાયા છે તેની તપાસ માટે ઉત્તરપ્રદેશની સ્પેશિયલ ટાસ્ક ફોર્સ ટીમ અમદાવાદ આવી પહોંચી છે.

Page-10.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *