ઊનાના ઊંટવાળા પ્રા.શાળામાં અભ્યાસ કરતા ધો.૬ થી ૮ બાળકોને શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા સાગર દેશાવલ દ્રારા
પ્રાકૃતિક શિબીર તેમજ હરમતીયા એડવેન્ચર પાર્કની મુલાકાત કરાવી હતી. અને બાળકોને વિવિધ પ્રકારની રાઇડસ તેમજ એક્ટીવીટી
બાળકોને કરાવવામાં આવી હતી. તેમજ બાળકોને દ્રોણશ્વર ગુરુકુલ તેમજ દ્રોણેશ્વર મહાદેવ મંદિરના દર્શન કરાવવામાં આવ્યા હતા.
સાથે સંતો દ્રારા પ્રસાદીનો લાભ પણ આપવામાં આવેલ જેમાં ધો.૬ થી ૮ ના કુલ ૬૫ બાળકોએ ઉત્સાહથી પ્રવાસની મજા માણી
હતી. આ તકે ઊંટવાળા પ્રા. શાળા દ્રારા નિરંતર આવી પ્રવૃતિઓના માધ્યમથી બાળકોના ઉજવળ ભવિષ્ય માટે સતત કાર્યરત રહી
વિવિધ કાર્યક્રમો ઉજવવામાં આવે છે..


