Gujarat

કૃષિમંત્રીશ્રી જનસંપર્ક, વિકાસ કાર્યોનું નિરીક્ષણ અને ખાતમુહર્તના વિવિધ કાર્યક્રમમોમાં ઉપસ્થિત રહેશે

રાજ્યના કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન, મત્સ્યોદ્યોગ, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ મંત્રીશ્રી
રાઘવજીભાઈ પટેલ આવતીકાલ તા. 09 જૂનથી જામનગર જિલ્લાના પ્રવાસે છે. મંત્રીશ્રી આવતીકાલે બપોરે 12:00 થી
સાંજના 05:00 કલાક દરમિયાન સર્કિટ હાઉસમાં જનસંપર્ક કાર્યક્રમમાં લોકોના પ્રશ્નોને સાંભળશે. મંત્રીશ્રી સાંજે 05:15
કલાકે ખીમલીયા ગામમાં ચાલી રહેલા વિકાસ કાર્યોનું સ્થળ પર નિરીક્ષણ કરશે. ત્યારબાદ સાંજે 06:15 કલાકે મોરકંડા ગામમાં
પાણીના સંપના ખાતમુહર્ત કાર્યક્રમમાં હાજરી આપશે. મંત્રીશ્રી સાંજે 07:15 કલાક દરમિયાન ઠેબા ગામમાં ચાલી રહેલા વિકાસ
કાર્યોનું સ્થળ પર નિરીક્ષણ કરશે.
મંત્રીશ્રી આગામી તા. 10 જૂનના રોજ, બપોરે 03:00 કલાકે શેખપાટ ગામમાં વિકાસ તીર્થ કાર્યક્રમ અંતર્ગત વિકાસ કાર્યોનું
નિરીક્ષણ કરશે. ત્યારબાદ તેઓ બપોરે 03:30 કલાકે ખીમરાણા ગામમાં થઇ રહેલ નવનિર્મિત બ્રીજનું સ્થળ નિરીક્ષણ કરશે.
મંત્રીશ્રી સાંજે 04:15 કલાકે મોખાણા ગામે બ્રિજના વિકાસ કાર્યનું નિરીક્ષણ કરશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *