કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહનું જામનગર એરફોર્સ ખાતે આગમન થતાં
મહાનુભાવો દ્વારા તેમનું ભાવભીનું સ્વાગત કરવામાં આવ્યું હતું.
ગૃહ અને સહકારિતા મંત્રીશ્રીના સ્વાગતમાં મેયર શ્રીમતી બીનાબેન કોઠારી, સાંસદ શ્રી પૂનમબેન માડમ, રાજકોટ રેન્જના આઈ.
જી. શ્રી અશોક યાદવ, અધિક નિવાસી કલેકટર શ્રી બી. એન. ખેર, જિલ્લા પોલીસ વડા શ્રી પ્રેમસુખ ડેલું તેમજ એર કમાન્ડર શ્રી
આનંદ સોઢી સહભાગી બન્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે, કેન્દ્રીય મંત્રીશ્રી જામનગર સર્કિટ હાઉસ ખાતે રાત્રિ રોકાણ કર્યા બાદ સવારે દ્વારકા જવા રવાના થશે,
અને દ્વારકા ખાતે તેઓ વિવિધ કાર્યક્રમોમાં સહભાગી થશે. ત્યારબાદ દ્વારકાથી જામનગર પરત આવી તેઓ અમદાવાદ જવા
માટે રવાના થશે.


