ગીર સોમનાથ
સૌરાષ્ટ્રમાં વારંવાર દીપડાના હુમલાની ઘટનાઓ સામે આવતી હોય છે. ખાસ કરીને ગીર સોમનાથ વિસ્તારમાં દીપડાના આતંકની અનેક ઘટનાઓ સામે આવતી રહે છે. હજુ બે દિવસ પહેલા જ ૮૦ વર્ષીય વૃદ્ધા પર દીપડાએ હુમલો કર્યો હતો, ત્યારે આજે ફરી ગીરગઢડાના રસુલપરા ગામમાં બે વ્યક્તિ પર દીપડાએ હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે. લોકો વારંવાર થતા દીપડાના હુમલાથી ત્રસ્ત થઇ ગયા છે.
