અમદાવાદ
અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટીમાંથી ૧૭ છઝ્ર ગાયબ થવા મામલે હવે યુનિવર્સિટીના એસ્ટેટ વિભાગે સિક્યોરિટી એજન્સીને નોટિસ ફટકારી છે. રિનોવેશનનું કામ કરનાર એજન્સી અને એસ્ટેટ વિભાગના સ્ટાફ પાસેથી પણ ખુલાસો માગવામાં આવશે. એસ્ટેટ વિભાગના અધિકારી શૈલેષ ગોસ્વામી પ્રમાણે, એનિમેશન ડિપાર્ટમેન્ટમાં રિનોવેશન દરમિયાન સ્ટોરરૂમમાં છઝ્ર મૂકાયા હતા. મહત્વનું છે કે છઝ્ર ગાયબ થવા મામલે રજીસ્ટ્રારે એસ્ટેટ વિભાગ પાસે ખુલાસો માગ્યો છે. જેને લઈ હરકતમાં આવેલા એસ્ટેટ વિભાગે અન્ય વિભાગો અને સ્ટાફ સામે તપાસ હાથ ધરી છે.મહત્વનું છે કે ૬ મહિના પહેલા એનિમેશન ડિપાર્ટમેન્ટનું રિનોવેશન થયું, ત્યારે આ વિભાગના ૧૭ જૂના છઝ્ર કાઢી લેવાયા હતા અને રિનોવેશન દરમિયાન તે તમામ સ્ટોર રૂમમાં મુકાયા હતા, પરંતુ આ ૧૭માંથી એકપણ છઝ્ર હવે સ્ટોરરૂમમાં નથી. જેને લઈ દ્ગજીેંૈંના વિરોધ બાદ યુનિવર્સિટીના રજિસ્ટ્રારે છઝ્ર ગુમ થવા મુદ્દે તપાસના આદેશ આપ્યા છે. જાે ગાયબ છઝ્રની માહિતી નહીં મળે તો પોલીસ ફરિયાદ પણ કરવામાં આવશે. જાેકે એસ્ટેટ વિભાગના કેટલાંક કર્મચારી શંકાના ઘેરામાં છે.