વંથલી તાલુકાના બરવાળા ગામે રાત્રિ સભા યોજવામાં આવી હતી. જિલ્લા -તાલુકા વહીવટી તંત્રના અધિકારીઓએ ગ્રામજનોના પ્રશ્નો- રજૂઆતો આ રાત્રી સભામાં સાંભળ્યા હતા. તેના અનુસંધાને રજૂ થયેલા ૨૨ જેટલા પ્રશ્નોનું સ્થળ પર જ નિરાકરણ કરવામાં આવ્યું હતું. ઉપરાંત ગ્રામજનોને કેન્દ્ર-રાજ્ય સરકારની જન કલ્યાણકારી યોજનાઓની જાણકારી પણ આપવામાં આવી હતી.


