ઉપરાંત આ નેશનલ હાઇવે ઉપર કોસિદ્રા ખાતે ઓવરબ્રિજ બનાવવામાં આવનાર હોવાની માહિતી મળતા આ ઓવરબ્રિજ બનવાથી ગ્રામજનોના ઘર તેમજ દુકાનો પણ તોડવાનો વારો આવશે તેવી શંકા વ્યક્ત કરી છે. જેને લઇને કોસિન્દ્રા બજારને તેની અસર થશે તેવી આશંકા વ્યક્ત કરીને આજરોજ છોટા ઉદેપુર જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપીને જમીનનું રી સર્વે કરવાની માગ કરી છે.આ બાબતે ત્યાંના સ્થાનિક હેમંત પટેલે જણાવ્યું હતું કે, અમારે ત્યાં કોસિન્દ્રામાંથી એન.એચ. 56 પસાર થઈ રહ્યો છે. એમાં જમીન સંપાદન વિભાગે સર્વેમાં ભૂલ કરેલી છે. ભૂલ એવી છે કે અમારી માલિકીની જમીન સરકારી ચોપડે સરકારના હસ્તક બોલે છે. તો એને રી સર્વે કરાવીને આગળનું આયોજન કરાય. જેમની જમીન સંપાદનમાં જાય છે તેમને પૂરતું વળતર આપીને આગળ વધે. બીજો મુદ્દો એ છે કે, કોસિન્દ્રા ત્રણ રસ્તા ઉપર ઓવરબ્રિજ જઈ રહ્યો છે.વધુમાં જણાવતા કહ્યું કે, ઓવરબ્રિજની હાલ કોઈ
જરૂરિયાત નથી અને ઓવરબ્રિજ થશે તો બજાર સંપૂર્ણ
ખલાસ થઈ જશે. રસ્તાની આજુબાજુ જૂના નિયમ અનુસારસ્ટેટ હાઇવેનો 15 મીટર હતો. તેમાં બધાએ બાંધકામ કરેલું છે. દુકાન, મકાન એ બધું જ આમાં 100% લોસ થાય છે. રસ્તા પર આવી જશે અને ધંધા રોજગાર છીનવાઈ જશે. આખું ગામ બેરોજગાર બનશે અને ઓવરબ્રિજને લીધે ગામ પાછું પડશે.


