ઊના – નાઘેર વિસ્તારમાં આવેલ જશાધાર રેન્જના એરીયો ૩૦ કિ.મી.નો અંદાજીત છે. આ વિસ્તારમાં ૬૦ થી ૬૫ સિંહોનો
વસવાટ ૧૨ ગૃપમાં છે. અને ઉનાળાની સિઝનમાં આ સિંહોના પીવાના પાણીના ૨૭ પોઇન્ટ પર વનવિભાગના સ્ટાફની સતત
દેખરેખ વચ્ચે સિંહો પાણીથી વંચિત ન રહે તેની આર એફ ઓ થી માંડી વનકર્મી દ્રારા સતત સિંહો પર ફુટ પેટ્રોલીંગ કરી તકેદારી
રાખી રહ્યાં છે.


