જામકંડોરણા ની સરકારી કચેરીમાં વચેટીયાને લીલા લહેર
દેશની મોટી પંચાયત વડા માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે લોકોને ભ્રષ્ટાચાર મુક્ત ભારત ના સ્વપ્ન દેખાડી રહ્યા છે ત્યારે સાવજ નું વતન ની ગણતરીમા આવતું જામકંડોરણા ખુલ્લેઆમ ભ્રષ્ટાચાર ના અજગરે ભરડો લીધો છે. જામકંડોરણા પહેલા છાસવારે સરકારી કામો ભ્રષ્ટાચાર થતો તેવું મીડીયા આવતું હવે જામકંડોરણા ની પ્રજા પાસે પણ હજાર રૂપેરડી મોઢું નાખતાં પણ અધિકાર શેહ શરમ નથી આવતી તેવો સામે આવ્યો છે. જામકંડોરણા સરકાર દ્વારા ચાલતી સ્વચ્છતા અભિયાન અંતર્ગત સંડાસ બનાવવા બાર હજાર રૂપિયા ની સહાય જાહેર કરી જામકંડોરણા ની નિર્દોષ પ્રજા ને આ સહાય માટે જે ડોક્યુમેન્ટ આપવા ના હોય તેમાં સહી કરવા તાલુકાની પંચાયત દ્વારા ખુલ્લેઆમ હજાર રૂપિયા ની માંગ કરવામાં આવી રહી છે પંચાયત ના વચેટિયા દ્વારા અરજદાર ના ઘરે જઈ આવા ઉઘરાણા થઈ રહ્યા હોવા ચર્ચા ભારે જોર પકડ્યું છે.
અહેવાલ અતુલ લશ્કરી
