Gujarat

જામનગર રોજગાર કચેરી ખાતે મેગા જોબફેર યોજાયો

ગુજરાત ગૌરવ દિન' ની ઉજવણી અંતર્ગત જામનગરમાં મદદનીશ નિયામક (રોજગાર) ની કચેરી
ખાતે 'રોજગાર દિવસ' નિમિતે 'મેગા જોબફેર' નું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં મદદનીશ નિયામકશ્રી (રોજગાર) કું.
સરોજ સાંડપા દ્વારા રોજગારવાંછુ ઉમેદવારોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ઉમેદવારોને સ્વરોજગાર, રોજગાર રજીસ્ટ્રેશન
અને અનુબંધમ પોર્ટલ વિષે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ત્યારબાદ એપ્રેન્ટિસ એડવાઈઝર કું. પ્રાપ્તિબેન માંકડ દ્વારા
એપ્રેન્ટિસ સિસ્ટમ વિષે ઉમેદવારોને જાણકારી આપવામાં આવી હતી.
વિવિધ ખાનગી ક્ષેત્રના નોકરીદાતાઓ દ્વારા તેમની કંપનીઓની પ્રાથમિક માહિતી આપવામાં આવી હતી. 27 જેટલી ખાનગી
એકમોના નોકરીદાતાશ્રીઓ દ્વારા હાજર કુલ 488 ઉમેદવારોનું સ્થળ પર જ ઈન્ટરવ્યુ લેવામાં આવ્યા હતા. જોબફેરના અંતે
વિવિધ કંપની દ્વારા કુલ 284 ઉમેદવારોની પ્રાથમિક પસંદગી કરવામાં આવી હતી.
કાર્યક્રમના અંતે જુનિયર રોજગાર અધિકારીશ્રી કું.ભારતીબેન ગોજીયા દ્વારા આભારવિધિ કરાઈ હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન
શ્રી પવનભાઇ ગઢવી, જામનગર આઈ.ટી.આઈ. ના આચાર્ય શ્રી ગાગિયા તેમજ પ્લેસમેન્ટ ઓફિસર શ્રી વિરેન્દ્રસિંહ વાઢેર
દ્વારા કરવામાં આવ્યું હતું. તેમ મદદનીશ નિયામકશ્રી (રોજગાર) કું. સરોજ સાંડપા, જામનગરની યાદીમાં જણાવવામાં આવ્યું
છે.

૦૦૦૦૦૦

-2.jpeg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *