કેન્દ્રિય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહના હસ્તે તા.૧૯-૦૩-૨૦૨૩ના રોજ જૂનાગઢ-એપીએમસી ખાતે ખેડૂતોની સવલતોમાં વધારો કરતું કિસાન ભવનનું લોકાર્પણ તથા જૂનાગઢ જિલ્લા સહકારી બેંકના મુખ્ય કચેરીના ભવન અને પ્રાકૃતિક કૃષિ બજારનું ભૂમિપૂજન કરવામાં આવશે. આ સમારોહની સાથે પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધારવા માટે પ્રાકૃતિક કૃષિ શિબિરનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ૨૦ હજાર જેટલા ખેડૂતો સહભાગી થશે.
