જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના ઓડિટોરિયમ ખાતે નીતિ આયોગના સભ્ય શ્રી રમેશ ચંદનું ટકાઉ ખેતિ વિષય વ્યાખ્યાન યોજાયું હતું. સાથે પ્રશ્નોત્તરીના દરમિયાન કૃષિ વિકાસના સંદર્ભમાં સાર્થક ચર્ચામાં કરવામાં આવી હતી.
નીતિ આયોગના સભ્ય શ્રી પ્રોફેસર રમેશ ચંદ તથા નીતિ આયોગના કૃષિ ક્ષેત્રના સિનિયર સલાહકાર નીલમબેન પટેલે કૃષિ યુનિવર્સિટીના વિવિધ વિદ્યા શાખામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને સંબોધિત કર્યા હતા. તેમણે હાલ કૃષિ ક્ષેત્રે નીતિ આયોગની કામગીરી, કૃષિ ક્ષેત્રે નીતિ આયોગ કઈ રીતે કામગીરી કરે છે અને ભવિષ્યમાં કૃષિ ક્ષેત્રને વધારે સમૃદ્ધ બનાવવા અને ગુણવત્તા યુક્ત બનાવવાના પર વિચારો રજૂ કર્યા હતા.
શ્રી રમેશ ચંદે પ્રીપેરીંગ એગ્રીકલ્ચર ફોર બેટર ન્યુટ્રીશન સસ્ટેનેબીલીટી એન્ડ રીસીલીએશન્સના વિષય ઉપર ખાસ રજૂ કર્યું. જેને વિદ્યાર્થીઓએ ઉત્સુકતા સાથે સાંભળ્યું હતું.


