Gujarat

જૈનાચાર્ય શ્રી રત્નસુંદરસૂરીશ્વરજી મહારાજ સાહેબ સાથે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની સૌજન્ય મુલાકાત

અમદાવાદ
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે આજે અમદાવાદમાં જૈનાચાર્ય શ્રી રત્નસુંદરસૂરીશ્વરજી મહારાજ સાહેબ સાથે સૌજન્ય મુલાકાત કરી હતી.
મુખ્યમંત્રીએ જૈનાચાર્ય શ્રી રત્નસુંદરસૂરીશ્વરજી મહારાજ સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા.
શ્રી રત્નસુંદરસૂરીશ્વરજી એ વાસક્ષેપ કરી મુખ્ય મંત્રીશ્રીને આશીર્વચન પાઠવ્યા હતા.
આ અવસરે વન પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરા, અમદાવાદના મેયર કિરીટભાઈ પરમાર, એલિસબ્રિજના ધારાસભ્ય અમિતભાઈ શાહ ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *