Gujarat

જોડિયા તાલુકાના કુનડ ગામે શ્રી કુંડલિયા હનુમાનજી મંદિર ખાતે આગામી તા.05.05.23 થી તા.12.05.2023 સુધી શ્રી મદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ નું ભવ્ય આયોજન કરવામાં આવેલ છે…………………………………..

કુનડ ગામે શ્રી કુંડલિયા હનુમાનજી મંદિરે અખિલબ્રહ્માડ નાયક કરૂણા સાગર શ્રી સકેતવાસી પ્રેમદાસજી મહારાજ તેમજ પ.પૂ.સકેતવાસી  જગદેવદાસજી મહારાજના આશીર્વાદ થી કુનડ ગ્રામજનો તથા સેવકગણના સાથ સહકાર થી સતશ્રી 1008 પ.પૂ.શ્રી અવધેશદાસજી મહારાજ ગુરૂ શ્રી પ્રેમદાસજી મહારાજ ની પ્રેરણા તેમજ તેમના પવન સાનિધ્યમાં
“”‘””””શ્રી મદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ “”””””
નું આયોજન વૈશાખ વદ–૧ સવત ..2079 તા.06.05.2023 ને શનિવાર થી વૈશાખ વદ–૭ તા.12.05.2023 ને શુક્રવાર સુધી ચાલશે. શ્રી મદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ માં વ્યાસાસને પ.પૂ.અજયભાઈ ભટ્ટ બીરાજી પોતાની ભક્તિ અને સંગીતમય વાણી દ્વારા  શ્રોતાઓને કથા નું રસપાન કરાવશે.અને મંગલ દીપ પ્રાગટય પ.પૂ.સત શ્રી અમરદાસ જી મહારાજ(કુંભારીયા. અજાર .કચ્છ)..વિશેષ ઉપસ્થિતિ પ.પૂ.મહા મડલેશ્ર્વર શ્રી.શ્રી.1008 સત શ્રી કેશવદાસજી મહારાજ ( સરદારનગર; ભોપાલ-મધ્યપ્રદેશ)..પ.પૂ.ધર્મ ભૂષણ મહંત સત શ્રી રાજેન્દ્ર દાસજી મહારાજ (તોરણીયા ધામ..ધોરાજી).. પ.પૂ.સતશ્રી  મોહનદાસજી મહારાજ (સાંઈ મંદિર.થરતેજ. અમદાવાદ)……
કથા ની પોથીયાત્રા તા.05.05.23 ને શુક્રવારે બપોરે 4 કલાકે અને પોથીયાત્રા શ્રી માવજીભાઈ લિબાભાઇ કલાવડિયા પરિવાર દ્વારા યજમાન  પ્રારભ સ્થળ શ્રી રામજી મંદિરે થી કથા ના મંડપ સુધી વાજતેગાજતે શરૂઆત કરવામાં આવશે અને કથાનો વિરામ તા.12.05.23 ને શુક્રવાર ના રોજ કથા નો સમય સવારે 9 થી 12 અને બપોરે 3.30 થી 6.30 સુધી ચાલશે. અને દરરોજ રાત્રી ના 9.30 કલાકે અલગ અલગ કાર્યક્રમો યોજાશે.જેમાં તા.06.05.23 રોજ  જામનગર અને રાજકોટ ના ભજન કલાકારો દ્વારા ભજન નો કાર્યક્રમ છે. તા.08.05.23 ના રોજ મનસુખભાઈ વસોયા નો ભવ્ય કાર્યક્રમ છે. તા.09.05.23 ના રોજ સુંદરકાંડના પાઠ દિગજામ વલસુરા વાળા તરફથી કાર્યક્રમ યોજવામાં આવશે..સંતો મહંતો ની પધરાણી તા.13.05.2023 અને કથા દરમ્યાન દરરોજ અલોકીક પાવન પ્રસંગો ની કપિલ પ્રાગટય..શિવ ચરિત્ર. નૃસિંહ પ્રાગટય..વામન ચરિત્ર.. રામ જન્મ..કૃષ્ણ જન્મ..ગોવર્ધન લીલા.. મહા રાસોત્સવ..રૂક્ષમણી વિવાહ..સુદામા ચરિત્ર જેવા પ્રસંગો ની ભવ્ય ઉજવણી કરવામાં આવશે…અને તા.11.05.23 ના રોજ શ્રી બોલબાલા ટ્રસ્ટ(રાજકોટ)દ્વારા મેડીકલ કેમ્પ નું પણ આયોજન કરવામાં આવ્યું છે………………
“”””””””””””કથાનું સ્થળ “”””””””
શ્રી કુંડલિયા હનુમાનજી મંદિર
પ.પૂ.શ્રી 1008 શ્રી મહંત અવધેસદાસજી મહારાજ
ગુરૂ શ્રી પ્રેમદાસજી મહારાજ (રામાયણી).અને કુનડ ગ્રામજનો.સેવકગણ………….
રિપોર્ટર :: શરદ એમ.રાવલ.
તા.જોડિયા.જી.જામનગર.
ગામ :;હડિયાણા………………….

IMG20230505175136.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *