ગ્રામવિકાસમંત્રી કુંવરજીભાઇ હળપતિ એ જણાવ્યું છે કે તાપી જિલ્લામાં મનરેગા યોજના અંતર્ગત વર્ષ ૨૦૨૧-૨૨ અને ૨૦૨૨-૨૩ માં ૧,૩૦,૧૯૧ કુટુંબો ને મનરેગા યોજના હેઠળ રોજગારી પૂરી પાડવામાં આવી છે.
તાપી જિલ્લામાં મનરેગા યોજના અંતર્ગત પ્રશ્ન ના જવાબમાં મંત્રીએ જણાવ્યું કે વર્ષ ૨૦૨૧-૨૨ માં ૨,૫૬,૦૧૯૯ તેમજ વર્ષ ૨૦૨૨-૨૩માં જાન્યુ.૨૩ અંતિત ૧૮૯૮૭૯૮ માનવદિન રોજગારી પૂરી પાડવામાં આવી છે.
તાપી જિલ્લામાં મનરેગા યોજના હેઠળ મહિલાઓને પૂરી પાડવામાં આવેલ રોજગારી ની વિગતો આપતા મંત્રીએ જણાવ્યું કે વર્ષ ૨૦૨૧-૨ ૨માં ૧,૪૦,૬૮૩૭ તેમજ ૨૦૨૨-૨૩માં જાન્યુ.૨૩ અંતિત ૮,૧૧, ૮૨૯ને માનવ દિન રોજગારી પૂરી પાડવામાં આવી છે.
