આજ રોજ તા. ૨૪/૦૪/૨૩ ના દિવસે આરેણા ગામના વતની અને હાલ રાજકોટ રહેતા બારોટ બાપા જગદીશભાઈ દેવીદાસભાઈ અંકલેશ્વરીયા એ પોતાનું દેહદાન નું સંકલ્પ પત્ર શિવમ્ ચક્ષુદાન -આરેણા ને અર્પણ કર્યું છે.
દેહદાન શ્રેષ્ઠદાન સુત્રને સાર્થક કરતા જગદીશભાઈ એ જણાવ્યું છે કે અહિ પૃથ્વી ઉપર જીવિત અવસ્થા મા થતા પુણ્યના કાર્યો કરશું જ. પણ આ દેહ છુટ્યા પછી પણ જો કોઈને ઉપયોગી થઈ શકાય તો એ અમારું અહોભાગ્ય હશે. આવા ઉમદા વિચાર ને શિવમ્ ચક્ષુદાન -આરેણા પરિવાર વતિ હ્રદય થી વંદન છે. રક્ત દાન, ચક્ષુદાન,અંગદાન અને દેહદાન ને વેગ મળે એવો ભાવ પણ જગદીશભાઈ એ વ્યક્ત કર્યો છે.
મિત્રો એક વાત યાદ રહે કે આ અઠવાડિયે લગભગ ૧૦ ની આસપાસ દેહદાનના સંકલ્પ પત્ર ભરાયા છે અને એક ચક્ષુદાન નું સંકલ્પ પત્ર ભરાયું છે.જેમા શિવમ્ ચક્ષુદાન -આરેણા ને સામે થી ફોન આવ્યા છે કે અમારા દેહદાન અને અંગદાન ના સંકલ્પ પત્ર ભરવાના છે. આમ કોઈને મજબુર કરી ને અમે લોકો આ કાર્ય કરતા નથી.હા પ્રથમ આનો વ્યવસ્થિત પ્રચાર કર્યો છે.
હાલ કોઈ પબ્લિસિટી કે હિરોગીરી કે દુનિયા ને અમારી સેવા બતાવવી એવું અમે ક્યારેય નથી કર્યું.અને એ પવિત્રતા ને પારદર્શકતા ના લિધે આજે અંગદાન, દેહદાન, નેત્રદાન કે રક્ત દાન વિશે સામેથી નથી સમજાવવું પડતું,આના માટે સામે થી કોલ અથવા રૂબરૂ મળીને અમોને જાણ કરવામાં આવે છે. હા બિલકુલ અમે પ્રવૃતિ ને વેગ મળે એટલો પ્રચાર સોશિયલ મીડિયા અને બિજા પ્રચાર ના માધ્યમથી અવસ્ય કરીએ છે જેથી આ પ્રવૃતિ નો વાસ્તવિક ખ્યાલ આવે એ પૂરતું જ અમારા કોઈ અંગત સ્વાર્થ કે મહાનતા બતાવવાનો કોઈ આશય નથી.માનવ દ્વારા માનવની સેવા કરવાનો અને આપણા પૂરાણોમાં બતાવેલ દાન ધર્મના મહિમાને સાર્થક કરવાનો અમો પ્રયત્ન કરી રહ્યા છીએ.રિપોર્ટર.વિમલ રાઈકુંડલીયા


