ધોકડવા ગામની મેઈન બજારમા પીજીવીસીએલના તુટેલા થાંભલા ગમે ત્યારે ધરાશાયી થઈ શકે તેમ હોવાથી લોકોમાં સતતં
અકસ્માતનો ભય રહે છે. આ વિસ્તારમાંથી પસાર થતા વાહન ચાલકો, રાહદારીઓ, બાળકો, પશુઓ પર પડે ત્યારે અકસ્માત સર્જાય
તે પહેલાં પી.જી.વી.સી.લ તંત્ર દ્વારા તુટેલો વિજપોલ બદલવામાં આવે તેવી ગામના લોકો દ્વારા માંગ ઉઠી છે.
તૌકતે વાવાઝોડામાં વર્ષો જુના વિજપોલ ધરાશાયી થઈ ગયા હતા. અને હવે આ વર્ષો જુના વિજપોલ આપ મેળે તુટી રહ્યા છે.
જેના કારણે મોટી દુર્ઘટના થવાની સંભાવના હોય જેથી લોકોમાં ભયનું વાતાવરણ ફેલાઇ ગયેલ અને કોઈ અકસ્માત ઘટિત થાઈ પછી
તંત્ર દોડતું થાઈ તેમના કરતા આગમ ચેતી રાખી તુટી ગયેલ વિજ પોલ બદલી નવો પોલ ઉભો કરવામાં તો લોકોના જાનનું જોખમ ન
રહે જોકે બજારમાં કોઈ ચાલ્યા જતા રાહદારીઓ કે પશુઓ પર તુટેલ વિજપોલ પડે નહીં તે માટે લોકો દ્વારા દોરડા વડે નજીકનાં ઝાડ
સાથે વિજપોલને બાંધીને રાખ્યા છે. સ્થાનિક લોકો દ્વારા નજીકની પી.જી.વી.સી.એલ. ની પેટા વિભાગ કચેરી પર જાણ કરવામાં
આવી હતી. પરંતુ અત્યાર સુધી અધિકારી માત્ર જોવા માટે જ આવેલ. પરંતુ આ બાબતે ગંભીરતા લઇ કાર્યવાહી ક્યારે કરશે તેવાં
અનેક સવાલો લોકોમાં ઉઠવા પામેલ છે. તંત્ર દ્વારા સર્વ કરી જુના વિજપોલ બદલવાનીને નવા નાખવામાં આવે તો લોકોના જીવ
જોખમમાં ના મુકાય તો


