મુખ્યમંત્રીના જનસંપર્ક કાર્યક્રમ હેઠળ ઓનલાઈન ફરિયાદ નિવારણ સ્વાગત કાર્યક્રમને એપ્રિલ માસમાં ૨૦ વર્ષ પૂર્ણ થતા હોય જૂનાગઢ જિલ્લામાં સ્વાગત સપ્તાહ જાગૃતિ કાર્યક્રમ યોજાશે.
સરકારશ્રીના લોકોભીમુખ વહીવટની આ બાબતથી નાગરિકો અવગત થાય અને તેનો મહત્તમ લાભ મેળવી શકે એ ઉદેશથી તારીખ ૧૧ એપ્રિલ થી ૨૯ એપ્રિલ સુધી સ્વાગત સપ્તાહ અવેરનેસ કાર્યક્રમ તેમજ ગ્રામ સ્વાગત, તાલુકા સ્વાગત, અને જિલ્લા સ્વાગતનું આયોજન કરવામાં આવનાર છે. જેમાં તારીખ ૧૧/૪/૨૦૨૩ થી તા. ૧૭/૪/૨૦૨૩17 સુધી ગ્રામ સ્વાગત માટેના પ્રશ્નો સ્વીકારવા માટેના કેમ્પનું આયોજન, તારીખ ૨૪/૪/૨૦૨૩ થી તારીખ ૨૬/૪/૨૦૨૩ તાલુકા સ્વાગતનું આયોજન, અને તારીખ ૨૭/૪/૨૦૨૩ જિલ્લા સ્વાગત નું આયોજન થશે
આ અંગે જૂનાગઢ કલેક્ટર શ્રી અનિલ રાણાવસિયા એ જણાવ્યું હતું કે, જિલ્લા અને તાલુકા કક્ષાના વર્ગ ૧ અને ૨ અધિકારીઓને ગુગલ મીટના માધ્યમથી સ્વાગત સપ્તાહની ઉજવણી અંગે અવગત કરાયા હતા તેમજ જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કલેક્ટરશ્રી એ વધુમાં નાગરિકોને આ ફરિયાદ નિવારણ કાર્યક્રમનો લાભ લેવા પણ અનુરોધ કર્યો હતો.
